Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના આદિવાસીઓ મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી,આઝાદી કાળથી વાપરે છે ડોળીનું તેલ

નર્મદા જિલ્લામાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે.

X

સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્યતેલ તરીકે સીંગતેલ, કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે. પણ નર્મદા જિલ્લાના આદિવાસીઓ ડોળીનું જ઼ તેલ વાપરે છે.

નર્મદા જિલ્લામાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. આદિવાસીઓ આ ડોળીને વીણી તેને ફોડી તેને સુકવીને કોથળા, થેલા ભરી લે છે.હાલ ડોળીમાંથી તેલ પિલવાની સીઝન શરૂ થઈ છે. હાલ આદિવાસીઓ કોથળામા ડોળી ભરી ને તેલ પિલવાની ઘંટીએ મોટી સંખ્યામા ઉમટી પડ્યા છે. સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે. પછી એ ડબ્બામા ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે. આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરી રાખે છે. અને ખાદ્ય તેલ તરીકે આખુ વર્ષ આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે. તેલ પીલવાની ઘંટીના માલિકે જણાવ્યું હતું કે આદિવાસીઓ ક્યારેય સીંગતેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા જ નથી.કારણકે ગરીબ આદિવાસીને સીંગતેલ મોંઘુ હોવાથી પોષાય તેમ નથી.હાલ સીંગતેલના બજાર ભાવ 15કિલોના ડબ્બે 3000રૂ ની આસપાસ ભાવ છે જયારે કપાસિયા તેલ નો ભાવ 2500રૂપિયા ની આસપાસ ચાલે છે. જ્યારે આદિવાસીઓને ડોળીનું તેલ સાવ મફતમાં પડે છે. આ ડોળીનું તેલ આરોગ્ય માટે ખૂબ સારુ ગણાય છે.ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે. ખાવામાં પણ આરોગ્ય વર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી.હાલ રાજપીપળા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પીલવા આદિવાસીઓ રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે. ડોળીના તેલના ફાયદા જાણ્યા પછી હવે આમ લોકો પણ ડોળીનું તેલ વાપરતા થયા છે.

Next Story