વડોદરા: MS યુનિવર્સિટી કેમ્પસમાં થતા ચંદનના વૃક્ષની ચોરીની ઘટનાને ડામવા  પોલીસે ઘડી કાઢ્યો એક્શન પ્લાન

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં છાશવારે ચંદન વૃક્ષોની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.ત્યારે આ ચોરીને અટકાવવા માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે.

New Update
  • એમએસ યુનિવર્સિટીમાં ચંદન વૃક્ષ ચોરીનો મામલો

  • છાશવારે ચંદનના વૃક્ષ ચોરીની બને છે ઘટના

  • પોલીસના ચંદન વૃક્ષની ચોરી અટકાવવાના પ્રયાસ

  • પોલીસે ઘડી કાઢ્યો એક્શન પ્લાન

  • સીસીટીવી સર્વેલન્સ સાથે પોલીસ કરશે નિરીક્ષણ 

Advertisment

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં છાશવારે ચંદન વૃક્ષોની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.ત્યારે આ ચોરીને અટકાવવા માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે.અને સીસીટીવી સર્વેલન્સ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે,

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાંથી છાશવારે થતા ચંદનના વૃક્ષોની ચોરીના બનાવો રોકવા વડોદરા શહેર પોલીસ તંત્ર હવે ખરેખર એક્શન મોડમાં આવી છે. જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ચંદનના વૃક્ષોની સંખ્યાતેની સુરક્ષા તથા સીસીટીવી સહિતની વ્યવસ્થાનું આજરોજ વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચંદનના અનેક વૃક્ષો આવેલા છે. જેમાં કેટલાક સમયથી વડોદરાના વિરપ્પનોએ પુષ્પા સ્ટાઇલમાં ચંદનના વૃક્ષોની ચોરી કરવાના બનાવોમાં વધારો કર્યો છે. ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની સુરક્ષા એજન્સી ચંદનના વૃક્ષોની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જેને કારણે આજરોજ ચંદનના વૃક્ષોની ચોરીના બનાવો પર રોક લગાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર ફુલ એક્શન મોડમાં આવ્યું છે.જેમાં આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારજોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ તથા ઝોન વન ડીસીપી લીના કોઠિયાના આદેશથી ડીસીબીપીસીબીફતેગંજ પોલીસ તથા  સયાજીગંજ પોલીસ મથકના અધિકારીઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ચંદનની વૃક્ષોની સંખ્યાતેની સુરક્ષા વ્યવસ્થાસીસીટીવી કેમેરાની પરિસ્થિતિ તેમજ સિક્યુરિટી એજન્સીના પોઇન્ટ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

વડોદરા શહેર પોલીસની આ કામગીરી ખૂબ ઉત્તમ કહેવાય પરંતુ એમ. એસ. યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તે સિક્યુરિટી એજન્સી માટે આ બાબત ખૂબ જ શરમજનક કહેવાય.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment