વલસાડ : ફેર બદલી કેમ્પમાં 235માંથી 117 બેઠક પર અગ્રતા આપવાની જાહેરાત સામે 500 શિક્ષકોનો હોબાળો..!

વલસાડ BRC ભવન ખાતે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • BRC ભવન ખાતે જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન

  • ફેર બદલી કેમ્પમાં હાજર શોક્ષકોએ મચાવ્યો હોબાળો

  • 235માંથી 117 બેઠક અગ્રતા આપવામાં આવતા વિરોધ

  • જિલ્લા બહારના શિક્ષકોને અન્યાય થતો હોવાનો આક્ષેપ

  • અન્ય જગ્યા માટે ઓનલાઈન અરજીને લઈ શિક્ષકોમાં રોષ

વલસાડ BRC ભવન ખાતે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વલસાડના BRC ભવન ખાતે વર્ષ 2024 અંતર્ગત જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 235માંથી 117 બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઇનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શિક્ષકો દ્વારા સૂત્રોચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કેસરકાર દ્વારા તા. 16 નવેમ્બર 2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છેજેમાં શ્રેયાનતા અને અગ્રતા મુજબ જિલ્લા ફેર બદલી કરવામાં આવશેત્યારે આ મામલે સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ400થી 500 જેટલા શિક્ષકોને ફેર બદલીથી અસર થશે તેવું શિક્ષકોનું માનવું છે.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.