Connect Gujarat
ગુજરાત

વલસાડ : AAPના સ્ટાર પ્રચારક ભગવંત માનના રોડ-શોમાં લાગ્યા "મોદી મોદી"ના નારા...

પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.

X

પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓએ ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલના સમર્થનમાં રોડ-શો યોજ્યો હતો.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા રાજ્યમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપંખીયો જંગ છેડાશે. પહેલી વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની 182 બેઠક ઉમર ઉમેદવારો ઉભા રાખી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં દિલ્હી અને પંજાબમાં કરેલા વિકાસના કામોનું મોડલ આગળ કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે વલસાડ જિલ્લામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉમરગામ વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર અશોક પટેલનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. જોકે, ભગવંત માનના રોડ-શો દરમ્યાન અને ભગવંત માનના સંબોધન વેળા ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. જેના કારણે થોડા સમય સુધી વાતાવરણ ગરમાયું હતું. જોકે, ફરજ પર તૈનાત પોલીસકર્મીઓએ ભાજપના કાર્યકરોને દૂર કર્યા હતા. પોતાના સંબોધન વખતે ભાજપના કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવતા ભગવંત માને પણ ભાજપના કાર્યકર્તાઓ પર ટિપ્પણી કરી હતી. આમ આદમી પાર્ટીના ઉમરગામમાં યોજાયેલા રોડ-શોમાં ભગવંત માને ઉપસ્થિત લોકોને આ વખતે બદલાવ માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સમર્થન કરવા અને ઉમરગામ વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર અશોક પટેલને વિજય અપાવવા માટે લોકોને અપીલ કરી હતી.

Next Story