/connect-gujarat/media/post_banners/65df00a2538b499543c9e722ed20d58557d90988fc1455854ffae9021385e371.jpg)
વલસાડમાં પ્રેમલગ્ન કરનાર પરિવાર એક જ માસમાં વિખરાઈ ગયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પ્રેમલગ્ન કરનાર ઓફિસરની પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ઉત્તર પ્રદેશના રહીશ અજિતસિંગ અમરજીતસિંગ રાજપૂતે કાનપુરમાં રામા યુનિવર્સિટીમાં બીએસસી ઇન નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 24 વર્ષીય રીના નામની યુવતી સાથે 5 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. બંન્ને દંપતિ વલસાડ તિથલ રોડ ઉપર સરકારી વસાહત સામેના રોડ પર આવેલી સોસાયટીમાં કોળી પટેલ સમાજની વાડીની બાજૂમાં એક મકાનમા ભાડેથી રહેવા આવ્યા હતા. અજિતસિંગ વલસાડની ખાનગી બેંકમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. દરમિયાન મહાશિવરાત્રિના રોજ બંન્ને ઘરમાં હાજર હતા ત્યારે યુવાનના પિતાનો ફોન આવતા અજિતસિંગ તેના પિતા સાથે ફોન સ્પીકર પર મૂકી વાતો કરતો હતો ત્યારે પિતાએ તેમના પૂત્ર સાથેે વાતચીત કરી પ્રેમલગ્ન સામે દુ:ખ સાથે ઠપકાની લાગણી વ્યક્ત કરી હતી. જે વાત પત્ની રીનાએ સાંભળી લઇ બેડરૂમમાં જતી રહી હતી. બાદમાં તેણીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરિણીતાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.