વલસાડ : જુંજવામાં 161 નવયુગલ દંપતિઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આશીર્વાદ આપવા પહોચ્યા
વલસાડના જૂજવાં ખાતે આયોજિત સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી.
BY Connect Gujarat Desk27 May 2022 11:17 AM GMT
X
Connect Gujarat Desk27 May 2022 11:17 AM GMT
વલસાડના જૂજવાં ખાતે આયોજિત સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા.જ્યાં તેઓએ સૌપ્રથમ વલસાડના જૂજવામાં યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં હાજરી આપી હતી. વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને આ સમૂહ લગ્નના મુખ્ય દાતા દિપેશ ભાનુશાલી અને હિતેશ ભાનુશાલી દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 161 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. જેમને આશીર્વાદ આપવા રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ ,આદિજાતિ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story