વલસાડ: ધરમપુરમાં કોંગ્રેસના આગેવાન ભાજપના સભ્ય બની ગયા !

વલસાડમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાને આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે

New Update

ભાજપ દ્વારા ચલાવાય રહ્યું છે સદસ્યતા અભિયાન

વલસાડમાં સદસ્યતા અભિયાન ચર્ચામાં

કોંગ્રેસના આગેવાન ભાજપના સદસ્ય બની ગયા

જાણ બહાર સભ્ય બનાવાયા: કોંગ્રેસ આગેવાન

ઉપરથી પ્રેશર આવ્યું એટલે ફરી ગયા: ભાજપ

વલસાડમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાને આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે
દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધણીને લઇને અનેક વિવાદ સામે આવી રહ્યા છે. એમાં ચર્ચાસ્પદ કિસ્સો વલસાડના ધરમપુરથી સામે આવ્યો છે. એમાં કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે આક્ષેપ કરી રહ્યા છે કે હું તો કોઇ ધાર્મિક કાર્યક્રમ માટે દાન લેવા ગયો હતો અને ધારાસભ્યએ મને ભાજપનો સભ્ય બનાવી દીધો. 
સોશિયલ મીડિયામાં રાજેશ પટેલ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાની તસવીર વાઇરલ થતાં તેમણે ખુલાસો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે ધારાસભ્ય અરવિંદ પટેલે મારી જાણ બહાર મારો મોબાઈલ ફોન લઈને મારી સાથેનો ફોટો પાડીને BJPના સભ્ય તરીકે ખોટી નોંધણી કરી દીધી છે.
તો સામે પક્ષે ધારાસભ્યનું કહેવું છે કે પહેલા મરજીથી જોડાય છે. પછી ફોન આવે એટલે ફરી જાય છે. ગામેગામથી ઘણા કોંગ્રેસના કાર્યકરો અમારી સાથે જોડાયા છે, પણ આ આગેવાનને ઉપરથી પ્રેશર આવે એટલે ફરી જાય છે.
Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.