વલસાડ: ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના ઉભા પાકને નુકસાન થી ખેડૂતોની ચિંતા વધી

ડાંગરના ઉભા પાકમાં મોટી નુકસાનીનો અંદાજ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં  છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

New Update

વલસાડમાં જામ્યો વરસાદી માહોલ 

ભારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી 

પવનના જોર સાથે વરસેલા વરસાદે વેર્યો વિનાશ 

ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થયો 

ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી 

વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે,જેના કારણે ખેતરમાં તૈયાર ડાંગરના ઉભા પાકમાં મોટી નુકસાનીનો અંદાજ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં  છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
વલસાડ,ધરમપુર,કપરાડા, વાપી,પારડી અને ઉમરગામ તાલુકામાં વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક પલળી ગયો છે.તો ક્યાંક પવનના જોર સાથે વરસેલા ભારે વરસાદને કારણે ઉભો પાક જમીન પર પડી જતા ડાંગરના પાકમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી વરસાદની શક્યતાએ  ખેડૂતોમાં ચિંતા વધારી દીધી છે. આ વખતે  ડાંગરનો તૈયાર પાક કાપણીનો સમય હતો એવા સમયે જ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ અને દવા અને મજૂરીમાં ખર્ચેલા ખર્ચ પણ માથે પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read the Next Article

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કપરાડામાં અગ્નિસંસ્કાર માટેની મુશ્કેલી

  • વરસતા વરસાદમાં મૃતદેહને અગ્નિદાહ

  • તાડપત્રી બાંધીને અગ્નિદાહ આપ્યો

  • નનામી સાથે બે કિ.મી કાચા રસ્તા પર ચાલ્યા લોકો

  • સ્મશાન માટે પાકું મકાન ન હોવાથી મુશ્કેલી 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસતા વરસાદમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવાની વિટંબણા સર્જાય છે,કાચા રસ્તા પર જીવના જોખમે નનામી લઈને જતા લોકોએ તાડપત્રીના સહારે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુડાના મૃતકની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી.પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.ઉપરાંત અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો બે કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે.ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.