વલસાડ : ટ્યુશનથી પરત ફરતી વિદ્યાર્થિનીનો મળ્યો હતો મૃતદેહ, FSL PM પ્રાથમિક રિપોર્ટમાં “રેપ વિથ મર્ડર” : પોલીસ

સુરત ખાતે કરાયેલા ફોરેન્સિક PMમાં દીકરી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. આ બનાવ ગત તા. 14મી નવેમ્બરના 3 વાગ્યાની આસપાસ બન્યો હતો

author-image
By Connect Gujarat Desk
New Update
  • પારડી તાલુકાના મોતીયાળા ગામની ચકચારી ઘટના

  • ટ્યુશનથી પરત ફરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો

  • સુરતFSL પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો

  • વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરાય : પોલીસ

  • સમગ્ર મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીયાળા ગામમાં ઉદવાડાથીટ્યુશનથી પરત ફરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતોત્યારેFSL PMના પ્રાથમિક રિપોર્ટમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ગામમાં એક પરિવારની 19 વર્ષીય યુવતી જે.બી.પારડીવાળા કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જે યુવતી ઉદવાડાનાટ્યુશનથી પરત ઘરે નહીં ફરતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. જોકેનજીકની આંબાવાડીમાં ગુમ યુવતીની ચપ્પલ જોવા મળી હતી. જેથી પરિવારના સભ્યોને આજુબાજુના વિસ્તારમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી.

ત્યારે આંબાવાડીમાં ઝાડ નીચે યુવતી સૂતેલી હાલતમાં જોવા મળી હતી. જેથી તેને બૂમ મારી ઉઠાડવા જતા ઉઠતી ન હતી. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતીજ્યાં ફરજ પરના હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતાં પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી ફોરેન્સિકPM માટે સુરત ખસેડ્યો હતો. પરિવારના સભ્યોના નિવેદન નોંધી પારડી પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.

પરંતુ ફોરેન્સિકPMનો પ્રાથમિક રિપોર્ટ આવતા પોલીસે દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધી હતી. સમગ્ર મામલે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કેસુરત ખાતે કરાયેલા ફોરેન્સિકPMમાં દીકરી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. આ બનાવ ગત તા. 14મી નવેમ્બરના 3 વાગ્યાની આસપાસ બન્યો હતોત્યારે હાલ તો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવેલા ટ્યૂશન કલાસ અને રસ્તાનાCCTV ફૂટેજ તેમજ મૃતકના ફોનની કોલ ડિટેઈલ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત

બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • ગઝલ સંસ્કાર કાર્યશાળાનું કરાયું આયોજન

  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન

  • સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ લીધો ભાગ

  • ગઝલના ઇતિહાસ સહિતની રસપ્રદ માહિતની કરાઈ રજૂઆત

  • ગઝલના રેખાચિત્રોનું આલેખન પદ્ધતિનું અપાયું માર્ગદર્શન

  • અરબીફારસી છંદોના ગુજરાતી નામકરણની કરાઈ છણાવટ 

ભરૂચ ભોલાવ ખાતેની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સુંદર પરિસર ખાતે તારીખ 27 જુલાઈ રવિવારના રોજ બુધ કવિસભા ભરૂચમયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય વક્તા તરીકે સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિધ્ધ ગઝલકાર કવિ મકરંદ મુસળે હાજર રહ્યા હતા. સદર કાર્યશાળામાં ગઝલની ઉત્પતિગઝલનો ઈતિહાસતેમજ ગઝલ વિશેના એકમ ઘટકો ગણછંદલય વિગેરેની વિસ્તૃત માહિતી મલ્ટી મિડિયા પ્રોજેક્ટરના ઉપયોગ સાથે મોટા સ્ક્રીન પર પૂરી પાડવામાં આવી હતી.

તદુપરાંતસાહિત્ય જગતમાં પ્રથમવાર ગઝલના નવીનતમ આયામો જેવા કેગઝલના અરબીફારસી છંદોનું ગુજરાતી નામકરણ તેમજ ગઝલના લગાત્મક સ્વરૂપોના સંદર્ભ રેખાચિત્રો (ગ્રાફ) નું આલેખન પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જતીન પરમારે'કાર્યશાળાના ઉદેશ્યમુખ્ય વક્તા કવિ મકરંદ મુસળે નો પરિચય આપી સફળ સંચાલન કર્યું હતું. જ્યારે પ્રમોદ પંડ્યાએ બુધ કવિ સભાનો છેલ્લા ત્રણ વર્ષનો સાતત્યસભર ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રે કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી બુધ કવિ સભાને એક આગવી ઓળખ આપી હતી. બુધ કવિ સભાના કવિ કમલેશ ચૌધરીએ મકરંદ મુસળેનું તેમજ કવયિત્રી હેતલ ચૌધરીએ મયુરી ફાઉન્ડેશનના ધ્રુવ જોશીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કર્યા હતા.જ્યારે શ્રીમતી હેમાક્ષી શાહ અને શ્રીમતી હેતલબેન ચૌધરીએ કાર્યશાળા માટે આધારરૂપ વહીવટી જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતમાં કવિ પ્રધુમન ખાચરે આગવી છટામાં આભારવિધિ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

બુધ કવિ સભાના ફાઉન્ડર મેમ્બર બ્રીજ પાઠકે ઉમેર્યું હતું કે દરેક બુધ કવિ સભામાં અમે સુપ્રસિદ્ધ કવિઓને અમારી સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા સાંકળીએ છીએ ઉપરાંત મયુરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ "ગઝલ સંસ્કાર" કાર્યશાળા માટેની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો.જે માટે સંસ્થા ઋણી છે. જ્યારે પ્રતિસાદરૂપે ધ્રુવ જોશી દ્વારા બુધ કવિ સભાના સંયુક્ત ગઝલ સંગ્રહના પુસ્તક તૈયાર કરવા આહવાન કરી આર્થિક સહાયની કરેલ આગોતરી જાહેરાતની વાતને પ્રોત્સાહક બળ તરીકે નોંધવામાં આવી હતી.

આ નવીનતમ "ગઝલ સંસ્કાર" કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભરૂચઅંકલેશ્વર,વડોદરાસુરતવાપીતેમજ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ ઉમળકાભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે બુધ કવિ સભાએ  આભારની લાગણી વ્યક્ત કરી હતી.