વલસાડ: હનુમાન ભાગમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ,સગર્ભા મહિલાને સારવાર અર્થે ખસેડી

પરિવારજનોની ચિંતા વચ્ચે NDRFની ટીમ દેવદૂત બનીને આવી પહોંચી હતી.અને સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સારવાર અર્થે ખસેડવામાં આવી

New Update

વલસાડમાં સર્જાય પૂરની પરિસ્થિતિ

ઔરંગા નદીમાં આવ્યા પૂરના પાણી

હનુમાન ભાગ બેટમાં ફેરવાયો

સગર્ભા મહિલાનું કરાયું રેસ્ક્યુ

NDRFની પ્રસંશનીય કામગીરી

વલસાડના હનુમાન ભાગમાં ઔરંગા નદીના પૂરના પાણીની આફતમાં NDRFની ટીમ દ્વારા એક સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,અને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે,તેમજ નદીના પાણી પણ તોફાની બન્યા છે.ત્યારે વલસાડના હનુમાન ભાગમાં પાણી ભરાય જવાના કારણે લોકો માટે મુશ્કેલરૂપ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.અને હનુમાન ભાગમાં ઔરંગા નદીના પૂરના પાણી ભરાય જવાના કારણે એક સગર્ભા મહિલાને ઇમરજન્સી સારવારની જરૂરિયાત ઉભી થઇ હતી.
જોકે પરિવારજનોની ચિંતા વચ્ચે NDRFની ટીમ દેવદૂત બનીને આવી પહોંચી હતી.અને સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.આ રેસ્ક્યુ દરમિયાન NDRFની ટીમને પોલીસ તેમજ નગરપાલિકા ની ટીમનો સહયોગ પણ મળ્યો હતો.
Read the Next Article

અમરેલી : ભારે વરસાદથી તબાહી,જોલપરી નદીમાં કાર તણાતા ચાલકનું કરુણ મોત,30થી વધુ પશુઓ મોતને ભેટ્યા

નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા, અને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા

New Update
  • રાજુલામાં ભારે વરસાદ બાદ તબાહી

  • જોલાપરી નદીમાં તણાઈ કાર

  • નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર

  • કાર ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત

  • ભારે વરસાદમાં 30થી વધુ પશુઓના મોત

  • તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ અવિરત વરસી તબાહી મચાવી હતી.બપોર બાદ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા સાવરકુંડલારાજુલા અને સહિત પંથકમાં ભારે નુકસાન થયું હતું. નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતાઅને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ગાંડીતુર પ્રવાહ જોવા મળ્યો હતો. ગામડાઓમાં પાણી ઘુસતા લોકોના ઘરો અને માલમત્તાને નુકસાન થયું હતું.કાઠમા ગામ નજીક નટુપરી બાપુના આશ્રમમાં મોડી રાતે પાણી ઘુસતા 8 પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા.

રાજુલા તાલુકાના ઉટીયા-રાજપરડા ગામ વચ્ચે બ્રિજ પર પાણીના પ્રવાહને કારણે ભુવો પડ્યો હતો.જ્યારે બ્રિજ પરથી પસાર થતી કાર પણ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતીજેમાં માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાન વાઘનું મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી હતી.

આ ઉપરાંત સાવરકુંડલાના ઘોબામાં પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીમાં આવેલા પૂરથી વાડીમાં ફસાયા હતા,તેમને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.વધુમાં અવિરત વરસેલા ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે.