વલસાડ : આંબાવાડીમાં મોટી નુકસાની,મોર ખરી પડતા કેરીનો 90 ટકા પાક નિષ્ફળ ગયો હોવાનો ખેડૂત સમાજના પ્રમુખનો દાવો

વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં મોર આવ્યા હતા. પરંતુ સમગ્ર મોર ખરી જવાના કારણે હવે કેરીનું ઉત્પાદન થશે કે કેમ તેના પર સવાલો ઉઠયા

New Update
  • આંબા પર ઝુલતા મોર ખરી પડતા ચિંતા

  • કેરીનો પાક સારો આવશેની હતી ખેડૂતોને આશા

  • 43 હજાર હેક્ટરમાં આંબાનું કરાયું છે વાવેતર

  • મોર ખરી પડતા ખેડૂતો બન્યા ચિંતાગ્રસ્ત

  • 80થી 90 ટકા કેરીનો પાક થયો નિષ્ફળ

  • ખેડૂત સમાજના પ્રમુખે કર્યો દાવો     

Advertisment

વલસાડ જિલ્લામાં આ વર્ષે કેરી રસીકો માટે ચિંતાજનક ઘટના બની છે,અંદાજ મુજબ 80 થી 90 ટકા કેરી પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં મોર આવ્યા હતા. પરંતુ સમગ્ર મોર ખરી જવાના કારણે હવે કેરીનું ઉત્પાદન થશે કે કેમ તેના પર સવાલો ઉઠયા છે.ત્યારે વલસાડ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા જિલ્લામાં કેરીના પાકને 80 થી 90% નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ખેડૂત સમાજના પ્રમુખ ભગુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં કેરીનો મોર આવ્યો હતોપરંતુ ફલીકરણ ન થવાના કારણે ખૂબ જ કેરીના પાકને નુકસાન છે.આ વર્ષ દરમિયાન ખેડૂતોને ખબર જ નહીં પડી કે કેરીના પાકને નુકસાન છે.જ્યારે ફલીકરણ ન થયું અને આખું ઝાડ કાળુ પડી ગયું ત્યારે ખેડૂતોને ખબર પડી કે પાકને ખૂબ નુકસાન થયું છે.

વલસાડ જિલ્લામાં આવેલી જીઆઇડીસી પ્રદૂષણ યુક્ત વાયુના કારણે પણ કેરીના પાકને અસર થઈ હોવાનો ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.વલસાડ જિલ્લામાં કુલ 43 હજાર હેકટરમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ કેરીના પાકને વાતાવરણની પ્રતિકૂળ અસર થતા 80 થી 90 ટકા નુકસાની દેખાઈ રહી છે.વાડીઓમાં ઉત્પાદન પણ નામશેષ થઈ જશે જેને લઇને આ વર્ષે કેરીનો પાક બજારમાં આવે તેવી શક્યતાઓ નહીંવત દેખાઈ રહી હોવાનો દાવો જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment