વલસાડ : વાપી મહાનગરપાલિકા બન્યા બાદ 11 ગામોના સમાવેશ સામે કોંગ્રેસના ધારાસભ્ય સહિત આગેવાનોએ નોંધાવ્યો વિરોધ

વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય સામે ગામના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

New Update
  • વાપી મહાનગરપાલિકા બન્યા બાદનો વિવાદ

  • મનપામાં 11 ગામના સમાવેશ સામે વિરોધ

  • કોંગી MLA દ્વારા સતત ચોથી વખત કરાયો વિરોધ

  • મનપાનો ઘેરાવ કરીને નોંધાવ્યો વિરોધ

  • લોકોમાં વેરા વધારા સહિત મુશ્કેલીનો સામનો કરવાનો ડર

વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય સામે ગામના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તા ઓ અને 11 ગામના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે નિર્ણય સામે વિરોધનો સુર ઉઠવા પામ્યો છે.મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારા સાથે અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે તેવા બહાને મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી રહી છે. આજે વાપીમાં વાપી મહાનગરપાલિકાના ઘેરાવનું આંદોલન કરવામાં આવ્યું હતું.

આ સમયે વાપી મનપા સામે જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત આજુબાજુના ગામ ના કેટલાક લોકોએ  અગ્રણીઓએ નીચે બેસીને વિરોધ કર્યો હતો.મહત્વપૂર્ણ છે કે અગાઉ અનંત પટેલની આગેવાનીમાં વાપી નગર મહાનગરપાલિકાની સામે ત્રણ વખત વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે.અને આજુબાજુના 11 ગામોને વાપી મહાનગરપાલિકા માંથી છૂટા કરવાની માંગ પણ કરવામાં આવી ચૂકી છે. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં આજે સતત ચોથી વખત અનંત પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

 

Read the Next Article

અમદાવાદમાં કોરોના કેસ વધ્યા, કોરોનાના નવા 127 કેસ નોંધાયા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર  પહોંચી છે.  અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે. 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.