વલસાડ : ઉમરગામમાં સામૂહિક આપઘાતની ઘટનાથી અરેરાટી વ્યાપી, દંપતીએ બે વર્ષના બાળક સાથે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

New Update
  • ઉમરગામમાં પરિવારના સામૂહિક આપઘાતથી ચકચાર

  • પતિ પત્ની અને બાળકનો સામુહિક આપઘાત

  • પત્ની અને બાળકને ઝેર આપ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાધો

  • સામુહિક આપઘાતનું કારણ અકબંધ

  • પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને શરૂ કરી તપાસ  

Advertisment

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

વલસાડ  જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં પરિવાર ભાડાના ફ્લેટમાં રહેતો હતોજ્યાં પાડોશીઓએ લાંબા સમય સુધી મકાનનો દરવાજો ખખડાવ્યો હતોજોકે કોઈ એ દરવાજો ખોલ્યો ન હતો. જેથી દરવાજો તોડીને ચેક કરતા પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતોજ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલી હાલમાં મળ્યા હતા. પાડોશીઓએ તરત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પરિવારે કયા કારણોસર આત્મહત્યા કરી એ કારણ હજી જાણી શકાયું નથી.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિવારના આપઘાતના કારણો અંગે તપાસ ચાલી રહી છે.આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર ગામ શોકમય બની ગયું છે.

Advertisment
Read the Next Article

“ઓપરેશન અખરોટ” : બાળકની શ્વાસનળીમાં ફસાયેલ અખરોટના ટુકડાને વલસાડના તબીબોએ સફળતાપૂર્વક બહાર કાઢ્યો...

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છે, ત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
62

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છેત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારબીલીમોરાના રહેવાસી પરિવારમાં 4 વર્ષીય બાળક અખરોટ ખાતો હતો.

આ દરમ્યાન રમતા રમતા બાળકની શ્વાસનળીમાં અખરોટનો ટુકડો ફસાઈ ગયો હતો. જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતાં પરિવાર હેબતાઈ ગયો હતો.

જોકેબાળકને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ ખાતે ખસેડવામાં આવ્યો હતોજ્યાં ડો. મિતેષ મોદી દ્વારા તાત્કાલિક બાળકનું દૂરબીનની મદદથી ઓપરેશન કરવામાં આવ્યો હતો.

ડો. મિતેષ મોદી સહિતના સ્ટાફે બાળકની શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક અખરોટનો ટુકડો કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઆ ઓપરેશન દરમ્યાન બાળકના શરીર પર કોઈપણ કટ કેકાપ મુકવામાં આવ્યો ન હતો.

તો બીજી તરફસફળતાપૂર્વક પાર પડાયેલા ઓપરેશન બાદ બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment