વલસાડ : ટ્રેનમાં નવજાતને ત્યજી દેવાનું કાવતરું રચનાર 3 લોકો સહિત કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ

વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના મામલામાં પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી છે.

New Update
  • ટ્રેનમાંથી નવજાત બાળકી મળી આવવાનો મામલો

  • ટ્રેનના ટોયલેટમાં મળી આવી હતી નવજાત બાળકી

  • સમગ્ર મામલામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય

  • વલસાડ સહિતના રેલવે સ્ટેશનના CCTVની તપાસ

  • નવજાતને ત્યજવાનું કાવતરું રચનાર 3 લોકો ઝડપાયા

  • કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની પણ ધરપકડ

વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના મામલામાં પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી છે.

વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના ચકચારી કેસમાં પોલીસે ઝડપી અને સઘન કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કેકાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાએ જ આ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જોકેસામાજિક ડર અને અન્ય કારણોસર સગીરાના માતા-પિતાએ આ નવજાત દીકરીને ત્યજી દેવાનું કાવતરું રચ્યું હતું. આ કાવતરાના ભાગરૂપેઆ લોકોએ વલસાડથી પસાર થતી એક પેસેન્જર ટ્રેનમાં નવજાત બાળકીને ચાલુ ટ્રેનના ટોયલેટમાં મુકી દીધી હતીઅને ત્યારબાદ તેઓ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા.

તો બીજી તરફઆરોપીઓનું પગેરું મેળવવા વલસાડ સહિત અન્ય રેલવે સ્ટેશનોના CCTV ફૂટેજની સઘન ચકાસણી કરવામાં આવી હતી. જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. હાલ પોલીસે 3 પુખ્ત આરોપીઓ અને નવજાતને જન્મ આપનાર તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છેજ્યારે કેસમાં કયા કારણોસર બાળકીને ત્યજી દેવામાં આવીઅને કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ હતુંતે દિશામાં પણ પોલીસે તપાસ આરંભી છે.