વલસાડ: ઉદવાડાના સમુદ્રી કિનારા પરથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું

વલસાડના દરિયા કિનારે આવેલ ઉદવાડા ગામ ખાતે ચરસના પેકેટો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઇ હતી. એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસમાં શરુ કરવામાં આવી હતી.

New Update

વલસાડના દરિયા કિનારે આવેલ ઉદવાડા ગામ ખાતે ચરસના પેકેટો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.

એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસમાં શરુ કરવામાં આવી હતી. દરિયા કિનારે મળી આવેલ ચરસને લઈને જિલ્લાના દરિયા કિનારે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે ત્રણ મહિના પહેલા કચ્છ પછી દ્વારકા ત્યાર બાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસી મળી આવ્યા હતા. ત્યારે આ સિલસિલો ચાલુજ રહ્યો છે.વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડાના દરિયા કાંઠે સોમવારે સાંજે બિનવારસી 11 કિલો 800 ગ્રામ ચરસના પેકેટ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. પારડીના ઉદવાડા ગામે રોહિત કોલોની ખાતે આવેલી બાલમંદિર પાછળ દરિયા કાંઠે  ગામ લોકોને એક પોટલું તણાઇ આવેલું નજરે પડ્યું હતું. જેમાં ઉર્દુ ભાષામાં લખાયેલા 10 પેકેટ સાથેનું પોટલું હતું. જે અંગેની જાણ પારડી પોલીસને કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેકટર જી.આર ગઢવી સહિત એસઓજીની ટીમ દોડી ગઇ હતી. જે શંકાસ્પદ પેકેટો અફઘાની ચરસના હોવાનું મનાય રહ્યું છે. 
ત્યારે પારડી પોલીસે 11 કિલો 800 ગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો કબજે લઈ FSLની મદદથી ચકાસણી હાથ ધરી છે. જોકે, પ્રથમ વખત વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળતા ATS ને પણ જાણ કરાઇ છે.વલસાડ જિલ્લો 70 કિલોમીટર નો દરિયા કિનારો ધરાવે છે. ત્યારે સૌપ્રથમ આ રીતે ચરસનો જથ્થો મળતાં પોલીસે ગંભીરતા લઈ ઉદવાડાના દરિયા કિનારા સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. દરિયા કિનારે કિનારે ફરી પોલીસ જવાનો હજુ પણ કોઈ શંકાસ્પદ ચરસનો જથ્થો મળે છે કે તેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment