વલસાડ : 137 પ્રકારના ઔષધીય પાક સાથે આવકમાં વૃદ્ધિ કરતાં કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત...

વલસાડના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે મૂલ્યવર્ધન થકી 137 પ્રકારના ઔષધીય પાક સાથે આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. આ સાથે જ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે.

New Update
  • કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી અનોખી ખેતી

  • PMEGP યોજના હેઠળ રૂ. 16 લાખની સબસિડી મેળવી

  • 137 પ્રકારના ઔષધીય પાક સાથે આવકમાં કરી વૃદ્ધિ

  • ખેતી-પાકના વેલ્યુએડેડ પ્રોડકટની વિદેશમાં માંગ વધી

  • ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી માર્ગદર્શક બન્યા

વલસાડના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે મૂલ્યવર્ધન થકી 137 પ્રકારના ઔષધીય પાક સાથે આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. આ સાથે જ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે.

વલસાડ જિલ્લાના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત નિકુંજસિંહે ઠાકોરે પરંપરાગત ખેતી છોડીખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન કર્યું છે. જેના કારણે તેમની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખેડૂત નિકુંજસિંહે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ એટલે કે, PMEGP યોજના હેઠળ કેન્દ્ર સરકારની રૂ. 5.76 લાખ સબસિડી અને રાજ્ય સરકારની રૂ. 1.50 લાખ સબસિડી મેળવી હતી. જેમાં રૂ. 16 લાખની લોન લઈ ખેતીના મૂલ્યવર્ધન માટે નાનું યુનિટ શરૂ કર્યું છેજ્યાં 137 પ્રકારના ઔષધીય પાક સાથે મસાલા પાકફળ પાક અને શાકભાજી પાકમાં વેલ્યુએડીશન કરી વિદેશમાં નિકાસ કરી રહ્યા છે. આ સાથે જ 3500થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી નિકુંજસિંહ ઠાકોર માર્ગદર્શક પણ બન્યા છે.

Read the Next Article

ભાવનગર : કાયદો-વ્યવસ્થાની દશા પર આપનું બેસણું, પ્રદેશ મંત્રી સહિત કાર્યકરોની અટકાયત કરતી પોલીસ

AAPના આક્ષેપ મુજબ, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, ગાંજો, સરસ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતા સુરક્ષિત નથી

New Update
  • કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી

  • આપ દ્વારા યોજાયુ વિરોધ પ્રદર્શન

  • કાયદો વ્યવસ્થાનું યોજાયું બેસણું

  • પ્રદેશ મંત્રી સહિત કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

  • પોલીસે આપના કાર્યકર્તાઓની કરી અટકાયત  

ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર બેસણું યોજવામાં આવ્યું હતું,અને આ વિરોધ પ્રસંગે પોલીસ દ્વારા આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા એક મહિનાથી સતત લોકપ્રશ્નો અને સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પ્રદેશ મંત્રી મહીપાલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાના બગાડને લઈને વિશેષ બેસણું યોજાયું હતું. AAPના આક્ષેપ મુજબશહેરમાં ખુલ્લેઆમ દારૂગાંજોસરસ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ ચાલી રહ્યું છેજેના કારણે સામાન્ય જનતા સુરક્ષિત નથી. નાના-મોટા વિવાદમાં નિર્દોષ લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલા થઈ રહ્યા છેહત્યાના ગુનાઓ વારંવાર બનવા લાગ્યા છે.

અસામાજિક તત્વો નિર્દોષ નાગરિકોને ભયના ઓથામાં જીવવા મજબૂર કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આક્ષેપોની વચ્ચેAAP કાર્યકરોએવૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ ની ધૂન સાથે આટાભાઈ ચોકથી રૂપાણી સર્કલ સુધી રેલી યોજી અને ગાંધીજીના પૂતળા પાસે કાયદાનું પ્રતિકાત્મક બેસણું રાખ્યું હતું. કાયદો હવે ભાવનગરમાંમૃત્યુ પામ્યો” હોવાનો સંદેશ આપવા બેઠેલા કાર્યકરોને ઘોઘારોડ પોલીસે પ્રદેશ મંત્રી સહિત કાર્યકરોની અટકાયત કરી હતી.