વલસાડ : વરસાદ વરસતા નદી-નાળા છલકાયા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

વરસાદ વરસતા વલસાડના નદી-નાળા છલકાયા, કપરાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

New Update
વલસાડ : વરસાદ વરસતા નદી-નાળા છલકાયા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

વલસાડ જિલ્લામાં વરસાદ વરસતા નદી-નાળા છલકાય ગયા છે. તો સાથે જ કપરાડામાં પણ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, ત્યારે રવિવારની વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશમાં એક દિવસના વિરામ વરસાદ ખાબક્યો છે. તેવામાં વલસાડ જિલ્લામાં પણ માત્ર 2 કલાકમાં જ 3.17 ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર જીલ્લામાં ભારે વરસાદને લઇને નદી-નાળા છલકાય ગયા છે.

કપરાડા વિસ્તારમાં પણ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. તો સાથે જ જિલ્લાના અન્ય તાલુકામાં પણ છુટોછવાયો વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે, ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને માછી આગેવાનોએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના જારી કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.