વલસાડ: બિસ્માર માર્ગોનું 48 કલાકમાં સમારકામ કરો, MP બેઠકમાં આપી સૂચના

વલસાડ સર્કિટ હાઉસ ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

વલસાડના સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલા માર્ગોનું તાકીદે સમારકામ કરવા સૂચના આપવામાં આવી હતી

વલસાડ સર્કિટ હાઉસ ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોમાસાના સમયગાળા દરમિયાન બિસ્માર બનેલા માર્ગોનું તાકીદે નિરાકરણ લાવવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં વલસાડના તમામ ધારાસભ્યો,સરકારી અધિકારીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ નેશનલ હાઇવે નંબર 48 અને 56  અને પંચાયતી રોડ સંદર્ભે પ્રજા તરફથી મળતા પ્રશ્નોને વાચા આપવા બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નેશનલ હાઇવે નંબર 48 પર પડેલા ખાડાને લઈને તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને આવનાર 48 કલાકમાં તમામ ખાડા પૂરી દેવામાં આવે એવા આદેશ અપાયા હતા
Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.