વલસાડ : રિક્ષા ચાલકનો બાઈક સવાર પર જીવલેણ હુમલો,ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ,પોલીસે શરૂ કરી તપાસ

વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઈક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો,આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

New Update
  • રિક્ષા ચાલકે કર્યો બાઈક ચાલક પર હુમલો

  • નજીવી બાબતે રિક્ષા ચાલકે કર્યો જીવલેણ હુમલો

  • તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બાઈક ચાલક ઘાયલ

  • ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડાયો

  • પોલીસે ફરાર રિક્ષા ચાલકને ઝડપી એવા શરૂ કરી તપાસ

Advertisment

વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઈક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો,આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

વલસાડના કુંડી ફાટક બ્રિજ પાસે બાઇક રિક્ષાને ઓવરટેક કરતા કોઈ બાઈક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી.અને રોષે ભરાયેલા રિક્ષા ચાલકે તીક્ષ્ણ હથિયારથી બાઈક ચાલક ભાર્ગવ પટેલ પર ગંભીર રીતે જીવલેણ હુમલો કર્યો હતો. આથી બાઈક ચાલક લોહી લુહાણ થઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.બનાવની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.અને ફરાર થયેલા રિક્ષા ચાલકની ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જ્યારે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત બાઈક ચાલક ભાર્ગવ પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisment
Read the Next Article

અમરેલી : નમકીન ખરીદવા ગયેલા 20 વર્ષીય દલિત યુવકની હત્યાની ઘટનામાં પોલીસે 11 આરોપીઓની કરી ધરપકડ

અમરેલીના બાયપાસ નજીક આવેલી હોટલ પર બબલુ નમકીન લેવા ગયેલા 20 વર્ષીય દલિત યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કરી કમરના મણકા ભાંગી નાખ્યા હતા

New Update
  • અમરેલીમાં દલિત યુવકની હત્યાનો મામલો

  • નમકીન લેવા માટે ગયેલા યુવકને માર્યો હતો માર

  • યુવકને કમરના મણકામાં પહોંચી હતી ઇજા

  • સારવાર દરમિયાન યુવકનું નીપજ્યું હતું મોત

  • પોલીસે 11 જેટલા આરોપીઓની કરી ધરપકડ 

Advertisment

અમરેલીના બાયપાસ નજીક આવેલી હોટલ પર બબલુ નમકીન લેવા ગયેલા 20 વર્ષીય દલિત યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કરી કમરના મણકા ભાંગી નાખ્યા હતા,ઘટના બાદ સારવાર હેઠળ રહેલા યુવાનનું હોસ્પિટલના બિછાને કરુણ મોત નીપજ્યું હતું.સર્જાયેલી આ ઘટનામાં ભારે વિરોધ બાદ પોલીસે 11 શખ્સોની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.

અમરેલીના બાયપાસ  માર્કેટિંગ યાર્ડ નજીક 20 વર્ષીય નિલેશ કાંતિભાઈ રાઠોડ ગત તારીખ 16મી મેના રોજ બબલુ નમકીન લેવા ગયો હતો. ત્યારે અન્ય નાનો બાળક નમકીન પેકેટ તોડી શકતો નહોતો,તેથી નીલેશે બેટા હું તોડી લવ કહેતા બાળકના પિતા સહિત અન્ય શખ્સો બેટા કેમ કહ્યું કહીને તેની પર તૂટી પડ્યા હતા.અને નિલેશ રાઠોડ સહિત ત્રણ શખ્સોને ઢોર માર મારવામાં આવ્યો હતો.જેમાં નિલેશનો કમરનો મણકો તૂટી જતા વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો.જ્યાં 22 તારીખે નિલેશ રાઠોડનું મોત નીપજતા મામલો હત્યામાં પલટાયો હતો.અને દલિત અગ્રણી નેતાઓ અને સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.

આ ચકચારી ઘટનામાં દલિત યુવકને માર મારવાની ઘટનામાં ચોથા ભરવાડવિજય ટોટાભાવેશ મુંધવાજતીન મુંધવા સહિત 11 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો.અને પોલીસે જેમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.અને વધુ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું.

 

Advertisment