વલસાડ: વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂકની અણીએ સોના ચાંદીના ઘરેણાની લૂંટ,પોલીસ થઈ દોડતી

વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂક બતાવી જવેલર્સના સોના ચાંદીના ઘરેણાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે

New Update
વલસાડ: વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂકની અણીએ સોના ચાંદીના ઘરેણાની લૂંટ,પોલીસ થઈ દોડતી

વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂક બતાવી જવેલર્સના સોના ચાંદીના ઘરેણાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે

વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલી શ્રી અંબિકા જવેલર્સ સંચાલક ચિરાગ સિન્હા રોજની આદત મુજબ રાત્રે દુકાન બંધ કરતી વખતે તમામ ઘરેનાઓ બેગમાં લઈને ઘરે પરત આવતા હોય છે. તેમના નિત્યક્રમ મુજબ સોમવારે રાત્રે ચિરાગ ઘરેણાં ભરેલી બેગ કારમાં મૂકી દુકાન બંધ કરવાની બાકીની કામગીરી કરી રહ્યો હતો. જે દરમ્યાન 3 અજાણ્યા ઈસમોએ ચિરાગ પાસે આવી તેને બંદૂક બતાવી કાર ખોલાવડાવી હતી. કારની પાછળની સીટ ઉપર મુકેલી સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઈને અજાણ્યા 3 યુવકો ફરાર થઇ ગયા હતા. વેપારી ચિરાગ કઈ સમજે તે પહેલાં આરોપીઓ બેગ લઈ ફરાર થઇ ગયા હતા. ચિરાગ યુવકો મજાક કરતા હોવાનું અનુમાન લગાવી બેઠો હતો. લૂંટ થઈ હોવાની જાણ થતાં બનાવ અંગે યુવકે પોલીસને જાણ કરતા વાપી DySP સહિત LCB, SOG અને વાપીની પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દુકાનની આજુબાજુમાં લાગેલા CCTVની મદદ લઈને ઘરેણાની લૂંટ ચલાવી બાઇક ઉપર ભાંગેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

New Update
  • ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ

  • 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો

  • વનખાડીના પાણી ફરી વળ્યા

  • પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.

માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.