વલસાડ: નેશનલ હાઇવે પર એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પલટી મારતા અફરાતફરી સર્જાય

વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી પરના બ્રિજ પરથી એમોનિયા ગેસનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.જોકે અચાનક ટેન્કર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા ટેન્કર પલટી મારી ગયું હતું.

New Update

વલસાડ નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત

એમોનિયા ગેસ ભરેલ ટેન્કરે મારી પલટી

ગેસ રિસાવ થતા હાઇવે પર અફરાતફરી સર્જાય

સુરક્ષા હેતુ હાઇવે કરાયો બંધ

ફાયર બ્રિગેડે ગેસ લીકેજ પર કાબુ મેળવ્યો

વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી પરના બ્રિજ પરથી એમોનિયા ગેસનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.જોકે અચાનક ટેન્કર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા ટેન્કર પલટી મારી ગયું હતું.જેના કારણે ગેસનો રિસાવ થતા અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.
વલસાડ નજીક અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર આજરોજ સવારના સમયે ધરમપુર ચોકડી પરના બ્રિજ પરથી એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું,પરંતુ ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા અચાનક ટેન્કર પલટી મારી ગયું હતું.અને ટેન્કર માંથી ગેસનો રિસાવ શરૂ થઈ ગયો હતો.જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.ઘટના અંગેની જાણ પોલીસ તેમજ ફાયર બ્રિગેડમાં કરવામાં આવી હતી.પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક તરફનો હાઇવે વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો હતો.જ્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટેન્કરમાંથી ગેસ લીકેજ અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.અને જેમાં ભારે જહેમત બાદ સફળતા મળી હતી.ત્યાર બાદ સુરક્ષિત રીતે ટેન્કરને હાઇવે પરથી ખસેડીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.સર્જાયેલી ઘટનામાં ટેન્કર ચાલકને ઇજાઓ પહોંચતા પોલીસ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અને ઘટનાની જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..