વલસાડ : ભાગલમાં ધુળેટી પર્વ નિમિત્તે યોજાઈ પરંપરાગત બળદગાડાની રેસ,8 સ્પર્ધકોએ લીધો ભાગ

વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી પર્વ નિમિત્તે કરવામાં આવે છે.

New Update
  • ભાગલ ગામમાં યોજાઈ અનોખી સ્પર્ધા

  • ધુળેટીના દિવસે યોજાય છે બળદગાડા રેસ

  • છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવે છે આયોજન

  • 8 સ્પર્ધકોએ સ્પર્ધામાં ઉત્સાહભેર લીધો ભાગ

  • ખેતી સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પ્રયાસ

વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી પર્વ નિમિત્તે કરવામાં આવે છે.

વલસાડના ભાગલ ગામમાં ગ્રામ્ય કક્ષાએ યુવાનો અને બાળકોમાં બળદગાડાનું મહત્વ સમજાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે. સ્થાનિક પરંપરા અને ખેડૂત સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેસ છેલ્લા 5 વર્ષથી ધુળેટી પર્વ નિમિત્તે કરવામાં આવે છે.

આ સ્પર્ધામાં સ્થાનિક 8 બળદગાડા સંચાલકોએ ભાગ લીધો હતો.આ રેસ જોવા માટે આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધકો પાસેથી કોઈ એન્ટ્રી ફી લેવામાં આવી ન હતી. સ્પર્ધાના અંતે વિજેતા અને રનર-અપ સ્પર્ધકોને ગામના અગ્રણીઓના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.આ રીતે નવી પેઢીને પરંપરાગત ખેતી સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

અમરેલી : સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી ખેતીની જમીનનું થયું ધોવાણ,22 ફૂટના ખાડા પડતા ખેતી માટે મુશ્કેલ

અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા

New Update
  • સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી તારાજી

  • ભારે વરસાદને પગલે ખેતીમાં પહોંચ્યું નુકશાન

  • વરસાદી પાણીમાં ખેતીની જમીનનું થયું ધોવાણ

  • ખેતરમાં પાણીની જમાવટથી પડ્યા ઉંડા ખાડા

  • રોડના ધોવાણ સાથે પુર સંરક્ષણ દીવાલ ધરાશાયી

અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે,કારણે ખેતીની જમીનનું જ ધોવાણ થઇ ગયું છે,વધુમાં વરસાદી પાણી ખેતરમાં જમાવટ કરતા અંદાજીત  22 ફુટના ખાડા પણ જમીનમાં પડવાના કારણે ખેડૂતના માથે મુશ્કેલીનું આભ ફાટ્યું છે.

 અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી,અને ઘોબા,પીપરડીહીપાવડલીમેંકડા ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી વળતા આશરે 7 થી 8 હજાર વીઘા ખેતીની જમીનોના ધોવાણ થયા હતા.ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતા પ્રતાપ દુધાત ખેડૂતોની વ્હારે પહોંચ્યા હતા.અને  ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા હતા.

સાવરકુંડલાના શેત્રુજી નદી અને મેરામણ નદી અને ફૂલકું નદી કાંઠાના ઘોબાપીપરડીફીફાદમેંકડા ગામોની જમીનો સાવ નષ્ટ થઈ ગઈ છે.ખેડૂતોએ મગફળી કપાસના વાવેતર કર્યા તે વાવેતર તો ઠીક પણ ખેતીની જમીન જ આખી ધોવાઈ ગઈ છે.અને ખેતરોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા જમીનોમાં 22 ફૂટના ખાડાઓ પડ્યા છે. જેના કારણે ખેડૂતો માટે આ પરિસ્થિતિ આફત રૂપ બની ગઈ છે.

સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામના ખેડૂતે 50 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. DAP ખાતરબિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન જ નષ્ટ થઈ જતા વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ રહી નથી. જ્યારે માત્ર ફીફાદ ગામની 3 હજાર વીઘા જમીનનું ધોવાણ થયું છે.જ્યારે ધોબા પીપરડી અને મેંકડા સાથે 7 થી 8 હજાર વીઘામાં  જમીન ધોવાઈ જતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ત્યારે ગ્રામીણ માર્ગોના રસ્તાઓ તો ધોવાઈ જ ગયા છે,સાથે રોડ કાંઠે પૂર સંરક્ષણ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત એક બ્રિજ પણ ધરાશાયી થઈ ગયો હોય ત્યારે આ નુકસાનની પરિસ્થિતિમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપીને  ખેતીની જમીનોની સ્થિતિ અંગે સરકાર સામે હૈયાવરાળ ઠાલવી હતી.