વેરાવળ : ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની કરાઇ ભવ્ય ઉજવણી, ભવ્ય સવારી સાથે નીકળી શોભાયાત્રા....

વેરાવળમાં ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે 7 ગુરૂદ્વારાનાં 7 ગુરુ ગ્રંથ સાહિબ તેમજ 60 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા યોજઇ હતી.

New Update
વેરાવળ : ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની કરાઇ ભવ્ય ઉજવણી, ભવ્ય સવારી સાથે નીકળી શોભાયાત્રા....

વેરાવળમાં ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે 7 ગુરૂદ્વારાનાં 7 ગુરુ ગ્રંથ સાહિબ તેમજ 60 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા યોજઇ હતી.

વેરાવળમાં સ્થિત સચખંડ ગુરુ દરબારમાં સમગ્ર વર્ષ દરમ્યાન શીખ સમુદાયના 11 ગુરૂ દેવનાં તમામ ગુરૂપ્રભ ધામધૂમથી ઉજવાય છે પરંતુ આ વર્ષે ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા જીવિત ગુરૂનો દરજ્જો પ્રાપ્ત એવા ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ ઉત્સવનાં આયોજનમાં વેરાવળ તેમજ પ્રભાસ પાટણમાં આવેલા તમામ 7 ગુરૂ દરબારનાં 7 ગુરુ ગ્રંથ સાહિબ તેમજ 60 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા તેમજ ડીજેનાં તાલ સાથે વેરાવળનાં ગુરૂનાનક ચોક ખાતેથી નીકળી, શ્રીપાલ ચોક, હવેલી ચોક, બિહારીનગર, કરમચંદબાપા ચોક થઈને લિલાશાહ બાગ ખાતે પૂર્ણાહુતિ કરાઇ હતી. જ્યાં સૌપ્રથમ આરતી સ્પર્ધા તેમજ જૂનાગઢની મંડળી દ્વારા સત્સંગ અને સમૂહ લંગરપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન ગુરૂનાનક કીર્તન મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આસ્થાભેર જોડાયા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..
Latest Stories