ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધારાની સાથે કેશોદમાં નેવી અને એરફોર્સ માટે એરપોર્ટ રખાયું સ્ટેન્ડ બાય

ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

New Update
  • ઓપરેશન સિંદૂર બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો

  • ગીર સોમનાથ દરિયાની સૂરક્ષામાં વધારો

  • એસઓજી અને મરિન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું

  • સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો

  • કેશોદ એરપોર્ટ નેવી અને એરફોર્સ માટે સ્ટેન્ડ બાય રખાયું

ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેશોદમાં એરપોર્ટને બંધ કરીને નેવી તેમજ એરફોર્સ માટે એરપોર્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ કરેલા હિંચકાર હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકીઓને ઠેકાણા ઉડાવવાની સાથે 90 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.ત્યારે ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના ગીર સોમનાથમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
વેરાવળ સોમનાથ કોસ્ટલ વિસ્તારમાં  SOG,મરીન પોલીસ દ્વારા દરિયાઈ  વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરવાની સાથે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.જ્યારે સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.આ ઉપરાંત બોટ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.વધુમાં માછીમારોની બોટ ચેકીંગ સહિતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
પાકિસ્તાની આતંકીઓ સામે ભારતીય સેનાની ઓપરેશન સિંદૂરની કાર્યવાહી બાદ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સેનાના માટે જૂનાગઢના કેશોદનું એરપોર્ટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.કેશોદ એરપોર્ટ પર સિવિલ ફલાઇટ બંધ કરીને તારીખ 10 એપ્રિલ સુધી એરપોર્ટ બંધ રાખવામાં આવ્યું છે.કેશોદ એરપોર્ટ માત્ર નેવી ને એરફોર્સ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.
                
Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.