ચુલી ગામમાં યુવાનો ભજવે છે ભવાઈ
ભવાઈની પરંપરાને જીવંત રાખતા યુવાનો
નવરાત્રીમાં ભવાઈ દ્વારા માતાજીની આરાધના
અંબિકા ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે આયોજન
ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો નવરાત્રી દરમિયાન ભવાઇની પરંપરા થકી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વેશભૂષા કરી રહ્યા છે.છેલ્લા એકસો વર્ષ કરતા પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે. જેમાં ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનોએ નવરાત્રી દરમિયાન ભવાઇની પરંપરાને આજે પણ જીવંત રાખી છે.અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વેશભૂષા ધારણ કરી રહ્યા છે. યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે.ભક્ત પ્રહલાદ, ભેંસાસુર, શેઠ જગડુશા, ચંડમુંડ ચામુંડા, હરિચંદ્ર તારામતી, મહિસાસુર સોનબાઈની ચૂંદડી વગેરે જુદા-જુદા વેશ ભજવીને માતાજીની આરાધના કરવામાં આવે છે.
આપણી પ્રાચીન સંસ્કૃતિની જળવાઈ રહે અને આજના યુવા લોકોને તે વિશે માર્ગદર્શન મળે સાથે મનોરંજન મળે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. સમસ્ત ગામના લોકો મોડી રાત સુધી આ વેશભૂષા કાર્યક્રમ નિહાળે છે. ગ્રૂપમાં એકસો જેટલા ભાઈઓ છે.જે અલગ અલગ દિવસે અલગ રોલ ભજવે છે.
એકસો વર્ષ કરતા પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે.ચુલી રામજીમંદિરના ચોકમાં ગરબીની અંદર માતાજીના જુદા જુદા વેશ રજુ કરાય છે. જેમાં ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.આ યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે. આ મંડળ દ્વારા માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી કરાવતા નાટકો (ભવાઈ) ભજવીને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે.