નવા વર્ષના વધામણા માટે યુવાઓમાં થનગનાટ, તો બીજી તરફ રાજ્યભરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત…

31 ફર્સ્ટના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, અમદાવાદ, મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી સંઘ પ્રદેશ દમણની સહેલગાહે ઉમટી પડતા હોય છે

New Update
  • 31 ફર્સ્ટના રોજ નવા વર્ષના વધામણાની કરાશે ઉજવણી

  • 31stને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ

  • રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું

  • રાજ્યના વિવિધ સ્થળેથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો

  • પાર્ટી પ્લોટ-રિસોર્ટના સંચાલકોને તકેદારી રાખવા સૂચન 

થર્ટી ફર્સ્ટ નિમિત્તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં દારૂ સહિત ડ્રગ્સ આવવાની શક્યતા રહેતી હોય છેત્યારે 31 ડિસેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ પાર્ટી પ્લોટરિસોર્ટ વગેરેના સંચાલકોને પણ ખાસ તકેદારી રાખવા પોલીસ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.

 31 ફર્સ્ટના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરાઅમદાવાદમહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી સંઘ પ્રદેશ દમણની સહેલગાહે ઉમટી પડતા હોય છેત્યારે નવા વર્ષની રાત્રિ દરમ્યાન થનારી ઉજવણીમાં કોઈ કચાસ ન રહી જાય એવા આશય સાથે હોટલો અને રિસોર્ટ દ્વારા ખાસ પેકેજ પણ નક્કી કરવામાં આવ્યા છે.

જેમાં ડી.જે. પાર્ટીલાઈવ મ્યુઝિકથીમ પાર્ટીફાયર શોકોકટેલ વીથ ડિનર સહિત અન્ય આકર્ષક પેકેજ પર્યટકોને આકર્ષિત કરતાં હોય છે. દમણની અનેક હોટલો બહાર રંગબેરંગી આકર્ષક લાઈટનો શણગાર પણ કરવામાં આવ્યો છે. તો બીજી તરફદમણથી ગુજરાત બોર્ડર પર દારૂનું સેવન કરી આવતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા દમણ-ગુજરાત બોર્ડર પર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેપર્યટકોએ હોટલ અથવાતો નાના-મોટા ગેસ્ટ હાઉસમાં રૂમ લઈને રાત્રિ રોકાણ કરશે તેવા જ પર્યટકો મોડી રાત સુધી ઉજવણીની સાચી મઝા માણી શકશે તેવું લાગી રહ્યું છે.

તો બીજી તરફથર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને વડોદરા શહેર અને જિલ્લા પોલીસે તૈયારીઓ કરી લીધી છે. મોટાભાગની ઉજવણી-પાર્ટીઓનું આયોજન વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં થનાર છે. વડોદરા ગ્રામ્ય પોલીસે ફાર્મ હાઉસહોટલરિસોર્ટકેફે સહિત 211 જેટલા સંચાલકો સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો આપ્યા છે.

જે સ્થળે પાર્ટીનું આયોજન કરાયું હોયત્યાં કેફી પીણું કેડ્રગ્સનો નશો કરીને કોઈ ન આવે તે અંગે સૂચના અપાય છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પ્રોબેશનર અધિક્ષક3 ડીવાયએસપી20 પીઆઇ45 પીએસઆઇ તેમજ 400થી વધુ પોલીસ કર્મચારી અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગબ્રેથ એનેલાઈઝર તેમજ NDPS કિટ વડે ચેકિંગ હાથ ધરશે.

આ તરફસૌરાષ્ટ્ર પંથકમાં પણ 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને ઉના પોલીસે ચેકપોસ્ટ ઉભી કરી છેત્યારે પોલીસના સઘન ચેકિંગ વચ્ચે મોપેડમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો હતો. ઉના તાલુકાના ભાડાસી ગામેથી બાઇકમાં ભરેલ દારૂના જથ્થા સાથે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.

બુટલેગર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દારૂનો જથ્થો લઇ ઉના તરફ આવી રહ્યો હતો. જોકેબુટલેગરે દારૂ સંતાડવા બાઇકમાં ચોરખાનું બનાવ્યું હતુંત્યારે બાતમીના આધારે પોલીસને બુટલેગર પાસેથી વિદેશી દારૂની બોટલ 48 નંગ મળી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેદારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવતા અન્ય બુટલેગરોમાં પોલીસના ચેકિંગથી ફફડાટ ફેલાયો છે.

હાલ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા યુવાધન નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છેત્યારે નશાનો કાળો કારોબાર કરતા ઈસમોને પકડવા જુનાગઢ જિલ્લા તેમજ શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વગર યુવાધન પણ ગેરકાયદેસર રીતે પૈસા કમાવાનો શોર્ટકટ અપનાવી રહ્યા છેત્યારે આવો જ નશાનો કાળો કારોબાર કરતા અને લો કોલેજમાં અભ્યાસ કરતા 26 વર્ષીય વિદ્યાર્થીને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

જુનાગઢના કેશોદમાંથી પણ પોલીસે 428 નંગ દારૂની બોટલો અને કાર મળી રૂ. 3.52થી વધુના મુદ્દામાલ સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ડીવાયએસપી બી.સી.ઠક્કરે જણાવ્યું હતું કેથર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ સમગ્ર જુનાગઢ જિલ્લામાં દારૂ અને જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Read the Next Article

ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો મળશે લાભ

નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી

New Update
content_image_0a7120b7-9ca1-401c-8c9e-3a7c85534313

નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી યોજના હેઠળ, રાજ્યના 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. આ ઉપરાંત, રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સને પણ સેવામાં સામેલ કરવામાં આવી છે, જેથી હવે રાજ્યમાં કુલ 1549 એમ્બ્યુલન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ છે.

ગુજરાતમાં PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બે મોટી જાહેરાતો કરી છે. આ પહેલથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ વેગ મળશે.

'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના' હેઠળ રાજ્યના 6.42 લાખ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા કવચ મળશે. આ યોજનાથી તેમને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. સરકાર આ યોજના પાછળ વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચ કરશે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 2018 થી 2025 સુધીમાં PMJAY યોજના હેઠળ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. આ યોજના હેઠળ કુલ 51.27 લાખ દાવાઓ માટે ₹13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. હાલમાં, રાજ્યમાં 2,708 હોસ્પિટલો (943 ખાનગી અને 1,765 સરકારી) આ યોજના સાથે જોડાયેલી છે, જ્યાં 2,471 વિવિધ પ્રોસિઝરનો લાભ ઉપલબ્ધ છે.

આરોગ્યમંત્રીએ 108 સેવા વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે:

  • રોજની સેવા: દરરોજ સરેરાશ 4,300 થી 4,500 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.
  • પ્રતિસાદ: 108 પર આવતા 99% કોલનો પ્રથમ બે રિંગમાં જ જવાબ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં પણ વધુ છે.
  • બચાવેલ જીવ: અત્યાર સુધીમાં 1.77 કરોડથી વધુ નાગરિકોને સેવા આપવામાં આવી છે અને 17 લાખથી વધુ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાયેલી જિંદગીઓને બચાવવામાં આવી છે.
  • પ્રસૂતિ સહાય: 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 58.70 લાખથી વધુ સગર્ભા માતાઓને મદદ કરવામાં આવી છે, અને 1.52 લાખથી વધુ પ્રસૂતિઓ સ્થળ પર જ કરાવવામાં આવી છે.
  • એર અને બોટ એમ્બ્યુલન્સ: ભારતમાં પ્રથમ વખત ગુજરાત સરકારે એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 72 ઓર્ગન અને ગંભીર દર્દીઓનું પરિવહન કરવામાં આવ્યું છે. ઉપરાંત, પોરબંદર અને ઓખા ખાતે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે.