કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

New Update
nipa virus

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે.

આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

શરુઆતના લક્ષણો

તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Kerala | health 

Read the Next Article

જાણો ડેન્ગ્યુ થયા પછી શરીરમાં દેખાતા 3 મહત્વપૂર્ણ લક્ષણો વિશે

જો તમારા ઘરમાં અથવા નજીકમાં કોઈને સતત તાવ, દુખાવો અને લાલ ફોલ્લીઓ દેખાય છે, તો ચોક્કસપણે ડેન્ગ્યુ માટે પરીક્ષણ કરાવો. સમયસર સારવાર અને સાવધાની રાખીને આ રોગ ટાળી શકાય છે.

New Update
dengue

ડેન્ગ્યુ એક વાયરલ ચેપ છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે. વરસાદની ઋતુમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધે છે.

શરૂઆતમાં તે સામાન્ય તાવ જેવું લાગે છે, પરંતુ જો સમયસર ઓળખી કાઢવામાં ન આવે અને તેની સારવાર ન કરવામાં આવે તો તે ખતરનાક બની શકે છે. જો તમારા ઘરમાં અથવા નજીકમાં કોઈને સતત તાવ, દુખાવો અને લાલ ફોલ્લીઓ દેખાય છે, તો ચોક્કસપણે ડેન્ગ્યુ માટે પરીક્ષણ કરાવો. સમયસર સારવાર અને સાવધાની રાખીને આ રોગ ટાળી શકાય છે. મચ્છરોથી પોતાને બચાવો અને ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

ડેન્ગ્યુનું પહેલું અને સૌથી સામાન્ય લક્ષણ અચાનક ખૂબ જ તાવ આવે છે. આ તાવ 102 થી 104 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને તેની સાથે ધ્રુજારી પણ આવે છે. આ તાવ ચાલુ રહે છે અને દવા લીધા પછી પણ થોડા કલાકોમાં પાછો આવી જાય છે. ક્યારેક આ તાવ ત્રણથી સાત દિવસ સુધી રહી શકે છે.

ડેન્ગ્યુને 'બ્રેકબોન ફીવર' પણ કહેવામાં આવે છે કારણ કે દર્દીને હાડકાં અને સ્નાયુઓમાં તીવ્ર દુખાવો થાય છે. આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે ચાલવું કે હાથ-પગ હલાવવાનું પણ મુશ્કેલ બની જાય છે. આ સાથે માથાનો દુખાવો અને આંખો પાછળ તીવ્ર દુખાવો પણ અનુભવાય છે. આ દુખાવો બાળકો અને વૃદ્ધોને વધુ પરેશાન કરી શકે છે.

ડેન્ગ્યુનું ત્રીજું સૌથી મહત્વનું લક્ષણ સ્કિન પર લાલ ફોલ્લીઓ અને શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યામાં ઝડપથી ઘટાડો છે. ડેન્ગ્યુ તાવના 3 થી 4 દિવસ પછી સ્કિન પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. નાક, પેઢા અથવા પેશાબમાં પણ રક્તસ્ત્રાવ થઈ શકે છે. પ્લેટલેટ્સમાં ઘટાડો એ ડેન્ગ્યુનો સૌથી ખતરનાક માનવામાં આવે છે, જેના કારણે રક્તસ્ત્રાવ થાય છે અને હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે.

ડોક્ટરોના મતે જો કોઈને પણ આ ત્રણ લક્ષણો સાથે ખૂબ જ તાવ દેખાય, તો તાત્કાલિક બ્લડ ટેસ્ટ કરાવો અને ડૉક્ટરનો સંપર્ક કરો. વહેલા ઓળખ અને સમયસર સારવારથી ડેન્ગ્યુને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. સ્વ-દવા લેવાની અથવા તાવને હળવાશથી લેવાની ભૂલ ન કરો.

Health is Wealth | Health Tips | Monsoon Health Tips | Dengue Dieses | dengue symptoms