ભરૂચ: સિવિલ હોસ્પિટલ HMPV વાયરસના ટેસ્ટથી લઇ ટ્રીટમેન્ટ સુધીની સુવિધા માટે સજજ

HMPVના કેસોથી અફરાતફરીનાં વહેતા થયેલા અહેવાલથી લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઇ જવા સાથે દહેશત જોવા મળી રહી છે.ત્યારે દેશમાં 6 અને તેમાંય ગુજરાતમાં તે પૈકીનો એક કેસ નોંધાતા તંત્ર સતર્ક થઈ ગયું છે

New Update
  • HMPV વાયરસની દહેશત

  • રાજ્યમાં કેસ નોંધાતા આરોગ્ય વિભાગ બન્યું સતર્ક

  • ભરૂચ જનરલ હોસ્પિટલ ટ્રીટમેન્ટ માટે સજ્જ

  • ટેસ્ટ થી લઇ ટ્રીટમેન્ટ સુધીની સુવિધા ઉપલબ્ધ

  • આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર પણ ઉપલબ્ધ    

  • ગભરાવાની નહિ પણ સતર્કતાની જરૂર

ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે હ્યુમન મેટાન્યુમો વાયરસ. એટલે કેHMPVનો પહેલો કેસ આવતા જ આરોગ્ય તંત્ર  સતર્ક થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાં હજી એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ વહીવટી તંત્ર સતર્ક બની ટેસ્ટથી ટ્રીટમેન્ટની તમામ સુવિધા સાથે સજજ થઈ ગયું છે.

ચીનમાં HMPVના કેસોથી અફરાતફરીનાં વહેતા થયેલા અહેવાલથી લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઇ જવા સાથે દહેશત જોવા મળી રહી છે.ત્યારે દેશમાં 6 અને તેમાંય ગુજરાતમાં તે પૈકીનો એક કેસ નોંધાતા તંત્ર સતર્ક થઈ ગયું છે.સરકાર તુરંત એક્શન માં આવી ગયુ છે. ભરૂચ જિલ્લામાં હજી સુધીHMPV નો એક પણ કેસ સામે આવ્યો નથી.જોકે અગમચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે.

ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતેRTPCR ટેસ્ટ કરવા માટેની તમામ તૈયારીઓ કરવા સાથે સારવાર માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.ભરૂચ કિરણ સી.પટેલ.એટલે કે જનરલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર ડો.દીપા થડાણીએ તંત્રની સજ્જતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે ટેસ્ટની સુવિધા કરવા સાથે વેન્ટિલેટર અને આઈસોલેશન વોર્ડ પણ તૈયાર છે.

જોકે ભરુચમાં હજુ કોઈ કેસ નોંધાયો નથી અને હાલ શરદી,ખાંસી અને તાવના કેસ આવી રહ્યા છે.ગભરાવવાની  જરૂર નથી પણ સતર્ક રહેવાની જરૂર છે.ભરૂચમાં કોઈ કેસHMPV વાયરસ નો આવ્યો નથી પણ કોરોના સમયની સુવિધા અને અનુભવ સાથે તંત્ર સજજ જોવા મળી રહ્યું છે.

Read the Next Article

યોગાસનો તમારા હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બનાવે છે બળવાન

શરીરની અંદર ઉત્પન્ન થતાં મળો જેવાં કે વિષ્ટા, મૂત્ર, કફ, કાર્બનડાયોકસાઈડ વગેરે વિના વિલંબે અને નિ:શેષ રીતે બહાર નીકળતા રહે, તે શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

New Update
yoga

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે હોજરી, મોટું આતરડું, નાનું આતરડું અને પેટનાં સ્નાયુઓ સ્વસ્થ હોય તે જરૂરી છે. ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, ધર્મમત્સ્યેન્દ્રાસન, મત્સ્યેન્દ્રાસન, વજ્રાસન વગેરે યોગાસનો આ કાર્ય સારી રીતે કરે છે.

યોગાસનોનો અભ્યાસ હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બળવાન બનાવે છે. શિરા અને ધમનીઓ તથા રક્તવાહિનીઓની દીવાલોને મજબૂત બનાવવામાં તેમ જ કાર્યક્ષમ બનાવવામાં અને શરીરમાં છેક દૂરના ખુણા સુધી લોહી પહોંચાડવામાં યોગાસનોનો અભ્યાસ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે. આ રીતે યોગાસનોના અભ્યાસથી રુધિરાભિસરણ તંત્ર પણ સ્વસ્થ રાખી શકાય તેમ છે.

શરીરની અંદર ઉત્પન્ન થતાં મળો જેવાં કે વિષ્ટા, મૂત્ર, કફ, કાર્બનડાયોકસાઈડ વગેરે વિના વિલંબે અને નિ:શેષ રીતે બહાર નીકળતા રહે, તે શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

  • ફેફસાં, શ્વાસનળી વગેરે શ્વાસનતંત્રનાં અવયવો સ્વસ્થ અને કાર્યક્ષમ હોય તે જરૂરી છે. મયુરાસન, શલભાસન અને બીજાં અનેક આસનો આ કાર્ય સારી રીતે કરી શકે તેમ છે.
  • મોટું આંતરડું, મલાશય અને પેટના સ્નાયુઓ સ્વસ્થ અને કાર્યક્ષમ હોવા જોઈએ. આ કાર્ય સુપ્ત વજ્રાસન, વજ્રાસન, ભુજંગાસન, શલભાસન, ધનુરાસન આદિ કરી શકે છે.
  • આ જ આસનો કિડની અને મૂત્રાશયને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે.
    ઉપર્યુકત હકીકતોથી સ્પષ્ટ થાય છે કે શારીરિક સ્વાસ્થ્ય માટે યોગાસનોનો અભ્યાસ ખૂબ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે.

શરીરના સ્વાસ્થ્ય ઉપરાંત શરીરની સ્થિરતા, અંગલાધન અને દૃઢતાથી કેળવણી માટે પણ યોગાસનોનો અભ્યાસ ઉપયોગી થાય છે. ‘હઠપ્રદીપિકા’ અને ‘ઘેરંડ સંહિતા’ આ વિશે શું કહે છે, તે આપણે પ્રારંભમાં જ જોયું છે.

યોગ એક સૂક્ષ્મ વિજ્ઞાન છે. યોગ એમ માને છે કે આપણા સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણમય શરીર છે. આ પ્રાણામય શરીરનાં પ્રવાહો, નાડીઓ, ચક્રો, કુંડલિની અને તેનું જાગરણ આદિ અનેક વિગતોનું સૂક્ષ્મ વર્ણન શિવદ સ્વરૂપે યૌગિક ગ્ંરથોમાં જોવાં મળે છે.

અધ્યાત્મસાધનમાં પ્રાણ ખૂબ મહત્ત્વનું સાધન છે. પ્રાણ જીવનની શક્તિ છે. પ્રાણ શક્તિનો સ્રોત છે. પ્રાણ શરીર અને ચિત્ત, બંને સાથે જોડાયેલા છે. તેથી પ્રાણની બંને પર અસર થાય છે. પ્રાણનો મહિમા આમ તો સર્વ સાધનમાર્ગમાં છે જ; આમ છતાં યોગમાર્ગમાં અને તેમાં પણ હઠયોગમાં તો પ્રાણને સૌથી વિશેષ મહત્વનું સાધન ગણવામાં આવે છે. અધ્યાત્મપથમા અને ખાસ કરીને યોગમાર્ગમાં પ્રાણની કેળવણી સંબંધિત ચાર ઘટનાઓને ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે.

આરોગ્ય અંગેનો યોગનો ખ્યાલ આપણા પ્રચલિત ખ્યાલ કરતાં ઘણો યોગ આરોગ્યનો સંબંધ પ્રાણની ગતિ સાથે જોડે છે. અતિ પ્રાચીન ગણાતા સાહિત્યમાં આ વિશે આવો ઉલ્લેખ મળે છે.

લઢૄરિુર્ખીં રુમરુરુર્ખીં રુદ્યઢળ।
રુમરુરુર્ખીં પૈટ્ટર્રૂૂૈ લઊૃં઼રિુર્ખીં અપૈટપ્ર॥

‘તે પ્રાણનાં બે સ્વરૂપો છે- સધ્રીચિ અને વિષૂચિ. વિષૂચિ મૃત્યુ સમાન અને સધ્રીચિ અમૃત સમાન છે.’

સધ્રીચિ એટલે સુસંવાદી, સમરૂપ, વિષચિ એટલે વિષમરૂમ, વિસંવાદી.

વિષૂચિ પ્રાણને મૃત્યુસમાન ગણેલ છે. આનો અર્થ એમ છે કે વિષૂચિ પ્રાણ શરીર અને ચિત્ત, બંને માટે અનારોગ્યનું કારણ બને છે. પ્રાણનું આ સ્વરૂપ અધ્યાત્મયાત્રામાં પ્રતિકૂળ બને છે. સુધ્રીચિ પ્રાણને અમૃત સમન ગણ્યો છે. પ્રાણનું આ સ્વરૂપ શરીર અને ચિત્ત માટે આરોગ્યપ્રદ છે અને અધ્યાત્મયાત્રા માટે અનુકૂળ બને છે.

પ્રાણના પ્રવાહોને વિષૂચિમાંથી સધ્રીચિ બનાવવાનું કાર્ય યૌગિક ક્રિયાઓ કરે છે. યોગાસનો શરીરની નિશ્ર્ચિત અવસ્થા દ્વારા પ્રાણના પ્રવાહોને નિશ્ર્ચિત ગતિ આપે છે. અન્ય યૌગિક ક્રિયાઓની સાથે યોગાસન પ્રાણના પ્રવાહો પર અસર કરીને વિષૂચિ પ્રાણને સધ્રીચિ બનાવવામાં સહાયભૂત થાય છે.

આ રીતે યોગાસનનો અભ્યાસ શરીને સ્વાસ્થ્ય આપે છે અને ચિત્તને પણ સ્વસ્થ બનાવવામાં સહાયક બને છે. યોગાસનના અભ્યાસ દ્વારા મળેલું આ સ્વાસ્થ્ય વધુ સ્થાયી, સાચું અને ઊંડું હોય છે, કારણ કે આ આરોગ્ય પ્રાણમય શરીરના રૂપાંતર દ્વારા સિદ્ધ થયું છે.

પ્રાણના સ્વરૂપમાં રૂપાંતર કરીને યોગાસનનો અભ્યાસ અધ્યાત્મયાત્રાને પણ સુકર બનાવે છે.

યોગાસનનો પ્રથમ દૃષ્ટિએ શરીરની અવસ્થા જણાય છે, પરંતુ વસ્તુત: તે મનોશારીકિક અવસ્થા છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગાસનોનો અભ્યાસ ઉપયોગી બને છે

Yoga | Importance of Yoga | healthy lifestyle | Health Care Tips