ભરૂચ: સિવિલ હોસ્પિટલ HMPV વાયરસના ટેસ્ટથી લઇ ટ્રીટમેન્ટ સુધીની સુવિધા માટે સજજ

HMPVના કેસોથી અફરાતફરીનાં વહેતા થયેલા અહેવાલથી લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઇ જવા સાથે દહેશત જોવા મળી રહી છે.ત્યારે દેશમાં 6 અને તેમાંય ગુજરાતમાં તે પૈકીનો એક કેસ નોંધાતા તંત્ર સતર્ક થઈ ગયું છે

New Update
  • HMPV વાયરસની દહેશત

  • રાજ્યમાં કેસ નોંધાતા આરોગ્ય વિભાગ બન્યું સતર્ક

  • ભરૂચ જનરલ હોસ્પિટલ ટ્રીટમેન્ટ માટે સજ્જ

  • ટેસ્ટ થી લઇ ટ્રીટમેન્ટ સુધીની સુવિધા ઉપલબ્ધ

  • આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર પણ ઉપલબ્ધ    

  • ગભરાવાની નહિ પણ સતર્કતાની જરૂર

ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે હ્યુમન મેટાન્યુમો વાયરસ. એટલે કે HMPVનો પહેલો કેસ આવતા જ આરોગ્ય તંત્ર  સતર્ક થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાં હજી એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ વહીવટી તંત્ર સતર્ક બની ટેસ્ટથી ટ્રીટમેન્ટની તમામ સુવિધા સાથે સજજ થઈ ગયું છે.

ચીનમાં HMPVના કેસોથી અફરાતફરીનાં વહેતા થયેલા અહેવાલથી લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઇ જવા સાથે દહેશત જોવા મળી રહી છે.ત્યારે દેશમાં 6 અને તેમાંય ગુજરાતમાં તે પૈકીનો એક કેસ નોંધાતા તંત્ર સતર્ક થઈ ગયું છે.સરકાર તુરંત એક્શન માં આવી ગયુ છે. ભરૂચ જિલ્લામાં હજી સુધી HMPV નો એક પણ કેસ સામે આવ્યો નથી.જોકે અગમચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે.

ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ કરવા માટેની તમામ તૈયારીઓ કરવા સાથે સારવાર માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.ભરૂચ કિરણ સી.પટેલ.એટલે કે જનરલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર ડો.દીપા થડાણીએ તંત્રની સજ્જતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે ટેસ્ટની સુવિધા કરવા સાથે વેન્ટિલેટર અને આઈસોલેશન વોર્ડ પણ તૈયાર છે.

જોકે ભરુચમાં હજુ કોઈ કેસ નોંધાયો નથી અને હાલ શરદી,ખાંસી અને તાવના કેસ આવી રહ્યા છે.ગભરાવવાની  જરૂર નથી પણ સતર્ક રહેવાની જરૂર છે.ભરૂચમાં કોઈ કેસ HMPV વાયરસ નો આવ્યો નથી પણ કોરોના સમયની સુવિધા અને અનુભવ સાથે તંત્ર સજજ જોવા મળી રહ્યું છે.

Read the Next Article

લીવર ખરાબ થાય તે પહેલાં જોવા મળે છે આ લક્ષણો, જો શરીરમાં આ ફેરફારો દેખાય તો તુરંત કરો ડૉક્ટરનો સંપર્ક

લીવરના રોગોને ઘણીવાર સાયલન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે તેના શરૂઆતના લક્ષણો ખૂબ જ હળવા હોય છે, જેને લોકો ઘણીવાર અવગણે છે.

New Update
liver

લીવર આપણા શરીરના આવશ્યક અવયવોમાંનું એક છે. તે આપણા શરીરમાં પાચનથી લઈને ડિટોક્સિફિકેશન સુધી 500 થી વધુ કાર્યો કરે છે

જેમાં તે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં, પિત્ત (bile) નું પ્રોડક્શન કરવામાં અને લોહીને સાફ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, આધુનિક જીવનશૈલી અને ખરાબ આહાર અને વધુ પડતા દારૂના સેવનને કારણે ફેટી લીવર, હેપેટાઇટિસ અને સિરોસિસ જેવા રોગો ઝડપથી વધી રહ્યા છે. ચાલો જાણીએ કે લીવર ખરાબ થાય તે પહેલાં કયા લક્ષણો દેખાય છે?

લીવર ખરાબ થવાના શરૂઆતના લક્ષણોને ઘણીવાર સાયલન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે તેના શરૂઆતના લક્ષણો ખૂબ જ હળવા હોય છે, જેને લોકો ઘણીવાર અવગણે છે. જયપુરની નારાયણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પ્રવીણ ગુપ્તાના મતે, લીવર ખરાબ થવાના શરૂઆતના લક્ષણો ઓળખવા મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે તે સામાન્ય થાક અથવા પેટ ખરાબ થવા જેવા દેખાય છે. જો આ સમસ્યાઓ ચાલુ રહે, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

લીવર ખરાબ થવાનું શરૂઆતનું લક્ષણ સતત થાક અને નબળાઈ છે, જે ખૂબ જ સામાન્ય છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે શરીરમાં ઝેર એકઠા થવા લાગે છે. આનાથી કોઈ કારણ વગર વધુ પડતો થાક લાગે છે.

ત્વચા અને આંખો પીળી પડવી એ કમળો કહેવાય છે. આ લીવરને નુકસાનનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ છે. વાસ્તવમાં, જ્યારે લીવર બિલીરૂબિન (એક પ્રકારનો પીળો પદાર્થ) યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તે લોહીમાં એકઠું થાય છે. કમળો ઘણીવાર હેપેટાઇટિસ અથવા સિરોસિસનું લક્ષણ હોઈ શકે છે.

પેટના ઉપરના જમણા ભાગમાં દુખાવો અથવા ભારેપણુંની લાગણી લીવરની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ દુખાવો લીવરમાં બળતરા અથવા ચરબીના સંચયને કારણે હોઈ શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાયજેસ્ટિવ એન્ડ કિડની ડિસીઝ (NIDDK) અનુસાર, આ લક્ષણ ફેટી લીવર અથવા હેપેટાઇટિસના પ્રારંભિક તબક્કામાં દેખાઈ શકે છે.

જ્યારે લીવરને નુકસાન થાય છે, ત્યારે શરીરમાંથી ઝેરી તત્વો સંપૂર્ણપણે દૂર થતા નથી, જેના કારણે વારંવાર ઉબકા અને ઉલટી થવાની સમસ્યા થઈ શકે છે. આ લક્ષણ ખાસ કરીને રાત્રે વધુ દેખાઈ શકે છે. જો રાત્રે વારંવાર ઉબકા આવવાની સમસ્યા હોય, તો તે લીવરને નુકસાનની નિશાની હોઈ શકે છે.

જ્યારે લીવરમાં પિત્ત ક્ષારનું સ્તર વધે છે, ત્યારે ત્વચા પર ખંજવાળ આવી શકે છે. આ ખંજવાળ રાત્રે વધુ થાય છે, જે અવરોધક કમળો, પ્રાથમિક બિલીયરી સિરોસિસ અથવા પિત્ત નળીમાં અવરોધનો સંકેત હોઈ શકે છે.

જ્યારે લીવરને નુકસાન થાય છે, ત્યારે પેશાબનો રંગ ઘેરો પીળો અથવા ભૂરો હોઈ શકે છે અને મળનો રંગ બદલાવા લાગે છે. આ બિલીરૂબિનના અસામાન્ય સ્તરને કારણે છે. તે જ સમયે, ભૂખ ન લાગવી અને કારણ વગર વજન ઘટવું એ પણ લીવર ડિસઓર્ડરના લક્ષણો છે. આ ઉપરાંત, લીવરની ખામીને કારણે શરીરમાં પ્રવાહી એકઠું થઈ શકે છે, જેના કારણે પગ અને પગની ઘૂંટીઓમાં સોજો (એડીમા) થઈ શકે છે.

ડિસ્ક્લેમર:

સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચન લાગુ કરતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.