ટીંડોળા ખાવાનું ન ગમતું હોય તો પણ ચાલુ કરી દેજો, એટલા ફાયદા થશે કે દવાની જરુર નહીં પડે..

ફળથી લઈને શાકભાજી સુધી સ્વસ્થ રહેવા માટે પ્રકૃતિએ આપણને કેટલીય વસ્તુઓ આપી છે. તેમાંથી એક છે ટીંડોળા. જેને આઈવી ગાર્ડ પણ કહેવાય છે.

New Update
ટીંડોળા ખાવાનું ન ગમતું હોય તો પણ ચાલુ કરી દેજો, એટલા ફાયદા થશે કે દવાની જરુર નહીં પડે..

ફળથી લઈને શાકભાજી સુધી સ્વસ્થ રહેવા માટે પ્રકૃતિએ આપણને કેટલીય વસ્તુઓ આપી છે. તેમાંથી એક છે ટીંડોળા. જેને આઈવી ગાર્ડ પણ કહેવાય છે. જો કે, કેટલાય લોકોને આ શાકભાજી પસંદ નથી હોતી અને ખાવામાં તે બોરિંગ પણ લાગે છે. પણ તેમાં એવા કેટલાય જાદુઈ ગુણ હોય છે, જેને જાણ્યા બાદ તમે પણ ટીંડોળા ખાવાના શરુ કરી દેશો. આ શાકભાજી ડાબાયિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ ટીંડોળાના ફાયદા વિશે...

· ખરાબ ડાયજેશન સુધારશે

અમુક સ્ત્રોત અનુસાર, ટીંડોળા ડાયટમાં સામેલ કરવાથી કબ્જ જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે. આ શાકભાજીમાં ફાઈબરનો સારો એવો સ્ત્રોત મળે છે. જેના કારણે પેટ સાફ કરવામાં સરળતાથી રહે છે. જો કે આ દાવાનું સમર્થન કરવા માટે કોઈ પાક્કો પુરાવો નથી.

· ડાયાબિટીસમાં ફાયદાકારક

હર્બલ ટ્રીટમેંટમાં ડાયાબિટીસ પેશન્ટને ટીંડોળા પર ભાર આપવા જોઈએ. શોધકર્તાઓનું માનવું છે કે, ટોંડાળાના પાન અને ટીંડોળાના અર્કના સેવનથી ડાયાબિટીસ પેશન્ટને ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે.

· બ્લડ શુગર કંટ્રોલ કરશે

ટીંડોળા એક રેશેદાર શાકભાજી છે અને તેમાં ફાઈબર હોય છે. ફાઈબર બ્લડમાં શુગર રિલીઝ કરવાના દરને ઓછું કરે છે, જે બ્લડ શુગર લેવલ કમ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

હાઈડ્રેટેડ રાખશેટીંડોળામાં પાણીની માત્રા વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. યોગ્ય હાઈડ્રેશનથી બોડી યોગ્ય રીતે ફંક્શન કરે છે.

· યોગ્ય વજન રાખવામાં મદદ

ટીંડોળામાં ખૂબ જ ઓછી કેલોરી હોય છે, જે વજનને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. યોગ્ય વજન રાખવાથી ટાઈપ 2 ડાયાબિટીઝના ખતરાને ઓછું કરી શકાય છે.

Read the Next Article

હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણી લો

હાથ અને પગમાં ઝણઝણાટ ક્યારેક હળવો અને ક્યારેક ખૂબ જ પરેશાન કરનારો હોઈ શકે છે. જો તે થોડા સમય માટે થાય છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે, તો તે સામાન્ય રીતે કોઈ દબાણ અથવા ખોટી મુદ્રાને કારણે થાય છે.

New Update
b12

હાથ-પગમાં ઝણઝણાટ ઘણીવાર સામાન્ય કારણોસર થાય છે, પણ વારંવાર થાય તો અનેક ગંભીર સમસ્યાઓનું કારણ હોય શકે છે.

હાથ અને પગમાં ઝણઝણાટ ક્યારેક હળવો અને ક્યારેક ખૂબ જ પરેશાન કરનારો હોઈ શકે છે. જો તે થોડા સમય માટે થાય છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે, તો તે સામાન્ય રીતે કોઈ દબાણ અથવા ખોટી મુદ્રાને કારણે થાય છે. પરંતુ જો તે વારંવાર અથવા સતત થઈ રહ્યું હોય, તો તે ઘણા રોગોનું લક્ષણ હોઈ શકે છે.

ડૉ. સુભાષ ગિરી સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ડાયાબિટીસ હોય છે, ત્યારે તેના હાથ અને પગની ચેતા ધીમે ધીમે પ્રભાવિત થવા લાગે છે. આવી સ્થિતિમાં, પગ અને હાથમાં ઝણઝણાટ, નિષ્ક્રિયતા અથવા બળતરા અનુભવી શકાય છે.

વિટામિન B12 શરીરની ચેતાને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપથી ન્યુરોલોજીકલ સમસ્યાઓ થાય છે. તેના લક્ષણોમાં હાથ અને પગ સુન્ન થઈ જાય, ઝણઝણાટ, થાક અને યાદશક્તિ ગુમાવવાનો સમાવેશ થાય છે.

આ એક ઓટોઇમ્યુન બીમારી છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતે જ ચેતા પર હુમલો કરે છે. આવી સ્થિતિમાં, હાથ અને પગમાં ઝણઝણાટ, સંતુલન જાળવવામાં મુશ્કેલી અને ઝાંખી દ્રષ્ટિની સમસ્યા થઈ શકે છે.

આ રોગમાં, કરોડરજ્જુની ડિસ્ક તેની જગ્યાએથી સરકી જાય છે અને ચેતા પર દબાણ લાવે છે. તેના લક્ષણોમાં કમરનો દુખાવો, એક પગ કે હાથમાં ઝણઝણાટ અને ચાલવામાં તકલીફનો સમાવેશ થાય છે.

શરીરમાં થાઇરોઇડ હોર્મોનની ઉણપને કારણે, હાથ અને પગની ચેતા પર દબાણ આવે છે. તેના લક્ષણોમાં થાક, વજનમાં વધારો, ઝણઝણાટ અને શુષ્ક ત્વચાનો સમાવેશ થાય છે.

જો હાથ અને પગમાં ઝણઝણાટ વારંવાર અથવા સતત ચાલુ રહે અને ચાલતી વખતે નબળાઇ, દુખાવો અથવા સંતુલન ગુમાવવા જેવી સમસ્યાઓ સાથે હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે તમારી તપાસ કરાવવી જોઈએ. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ ડૉક્ટરની સલાહ લઈને કરવો.)