ગ્રીન ટીના છે અઢળક ફાયદા, કેન્સર સહિત અનેક બીમારીઓને રાખશે દૂર..... જાણો બીજા ફાયદાઓ...

ગ્રીન ટી એક પ્રકારનું એંટીઓક્સિડેંટ પીણું છે જે શરીરમાં રહેલ તમામ પ્રકારની ગંદકીને બહાર કાઢી નાખે છે.

New Update
ગ્રીન ટીના છે અઢળક ફાયદા, કેન્સર સહિત અનેક બીમારીઓને રાખશે દૂર..... જાણો બીજા ફાયદાઓ...

ગ્રીન ટી એક પ્રકારનું એંટીઓક્સિડેંટ પીણું છે જે શરીરમાં રહેલ તમામ પ્રકારની ગંદકીને બહાર કાઢી નાખે છે. જ્યારે પણ ગરમ પાણી પીવાની વાત આવે ત્યારે લોકો ઘણી વાર હેલ્ધી ગ્રીન ટી પીવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ શું તમે જાણો છે કે ગ્રીન ટીનુ સેવન શા માટે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેને ફાયદા વિષે

· ગ્રીન ટી પીવાથી તમે તમારા વજનને કંટ્રોલમાં કરી શકો છો. ગ્રીન ટી ચયાપચયની ક્રિયાને વેગ આપે છે. આના કારણે તમે જે ખોરાક લો છો તેનાથી શરીર વધુ એનર્જી બર્ન કરે છે.

· ચિંતાથી પીડાતા લોકો માટે ગ્રીન ટી એકદમ બેસ્ટ ઓપ્સન છે. ગ્રીન ટી ચિંતા દૂર કરે છે. ઘણા એવા સંશોધનોએ સાબિત કરી બતાવ્યુ છે કે ગ્રીન ટી ચિંતા દૂર કરે છે.

· ગ્રીન ટી એંટીઓક્સિડેંટ્સથી ભરપૂર હોય છે. ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે ગ્રીન ટી કેન્સરથી પણ બચાવે છે. તે કેન્સરના કોષોનો વિકાસ થતાં અટકાવે છે. જો કેન્સરના દર્દીઓ ગ્રીન ટી પીવે છે તો તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આથી તેનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.

· દિવસમાં અનેક વખત ગ્રીન ટી પીવાથી અસ્વસ્થ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. રિપોર્ટ પરથી માહિતી મળી હતી કે જે લોકો ગ્રીન ટી અને બ્લેક ટી પીવે છે તેનું કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડપ્રેસર પણ કંટ્રોલમાં રહે છે.

· ગ્રીન ટી પીવાથી પેઢાના રોગને રાહત મળે છે. ગ્રીન ટી માં બળતરા વિરોધી ગુણ રહેલો છે તેથી ઓરલ હેલ્થ સારી રહે છે.

· ગ્રીન ટીમાં એંટીઓક્સિડેંટ્સ આવેલા હોય છે જે કરચલીને દૂર કરે છે. ત્વચાને કાયાકલ્પ કરવા સાથે તે ત્વચામાં ચમક પણ લાવે છે.

· ગ્રીન ટી પીવાથી પાચનક્રિયા સારી રહે છે. આટલું જ નહીં ગ્રીન ટી પીવાથી કોલાઇટીસની સમસ્યા પણ થતી નથી.

Read the Next Article

ચોમાસામાં આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો નહીંતર થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.

New Update
food

ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.

ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ઘણી વખત સ્ટ્રીટ ફુડ બનાવતા વિક્રેતાઓ હાઈજીનનું ધ્યાન નથી રાખતા તેથી બીમારીઓનું જોખમ વધી શકે છે.

વરસાદી માહોલમાં ફ્રાય કરેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તળેલા ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી પાચન ધીમુ થઈ શકે છે. તેથી તળેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

ચોમાસામાં સીફૂડ ખાવાથી કેટલીક વખત ચેપ લાગવાની શક્યતા છે. આ ઉપરાંત મીઠાનું સેવન ઓછુ કરવું જોઈએ. વરસાદી માહોલમાં મીઠાનું સેવન વધારે કરવાથી પેટ ફૂલવાની સમસ્યામાં વધારો થઈ શકે છે.

ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી અને કાચા શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ સરળતાથી લાગી શકે છે. તેથી પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.

ઈડલી અને ઢોસા જેવા આથાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તેમજ પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડનું વધુ સેવન બળતરા અને ત્વચાની સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી વધારે ખાંડ વાળી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ચા અને કોફીનું સેવન ઘટાડવું જોઈએ.

Health is Wealth | Lifestyle Tips | Monsoon 

Latest Stories