Connect Gujarat
આરોગ્ય 

ઉત્તરાયણ પર બનાવવામાં આવતી ખીચડી છે ગુણોનો ભંડાર, જાણો તેના અનેક ફાયદા

નવા વર્ષની શરૂઆત સાથે જ તહેવારોની શરૂઆત થઈ રહી છે. ખાસ કરીને મકરસંક્રાંતિનો તહેવારને પણ હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યા છે.

ઉત્તરાયણ પર બનાવવામાં આવતી ખીચડી છે ગુણોનો ભંડાર, જાણો તેના અનેક ફાયદા
X

નવા વર્ષની શરૂઆત સાથે જ તહેવારોની શરૂઆત થઈ રહી છે. ખાસ કરીને મકરસંક્રાંતિનો તહેવારને પણ હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યા છે. આ વર્ષે આ તહેવાર14 અને 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું ઘણું મહત્વ છે. આ દિવસે સૂર્ય મક્કરરાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ દિવશે સૂર્યપુજા કરવાનું ખાસ મહત્વ રહેલું છે, મકરસંક્રાંતિના દિવસે ઘરોમાં તલના લાડુ અને ખીચડી બનાવવાની પરંપરા છે. ખીચડીનું નામ સાંભળતા જ લોકો ઘણીવાર ચહેરા બનાવવા લાગે છે.

ઘણા લોકો માને છે કે તે બીમાર લોકોનો ખોરાક છે, પરંતુ એવું નથી હોતું, કારણ કે ઉત્તરાયણના દિવશે પાંચ ધાનનો ખીચડો બનાવવામાં આવે છે, ખીચડી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ આના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિષે...

પચવામાં સરળ :-

ખીચડીને બીમારી દરમિયાન ખાવા માટેનો ખોરાક કહેવામાં આવે છે કારણ કે જ્યારે તમે બીમાર હોવ ત્યારે ખીચડી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ઓછા મસાલા હોવાને કારણે અને આખા અનાજમાંથી બનાવવામાં આવે છે, અને તે પચવામાં પણ સરળ છે.

ગ્લુટેન ફ્રી ફૂડ માટે ખીચડી એ એક સરસ અને સરળ વિકલ્પ છે. તે સામાન્ય રીતે ચોખા, દાળ અને શાકભાજી સાથે રાંધવામાં આવે છે અને તેમાં ઘઉં હોતા નથી, જે તેને ગ્લુટેન-મુક્ત વિકલ્પ બનાવે છે.

હૃદય માટે ફાયદાકારક :-

ખિચડી આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે ઓછા તેલ, ઘી અને મસાલા સાથે બનાવવામાં આવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ :-

જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો, તો વજન ઘટાડવા માટે ખીચડી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે મેટાબોલિઝમ સુધારે છે, અને પચવામાં પણ સરળ છે.

ડાયાબિટીસમાં અસરકારક :-

જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે કોઈપણ ખચકાટ વિના તમારા આહારમાં ખીચડીનો સમાવેશ કરી શકો છો. તેના ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે, ખીચડી એ ડાયાબિટીસથી પીડિત લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

પ્રોટીનથી ભરપૂર :-

દાળ, ભાત અને શાકભાજીમાંથી બનેલી ખીચડી પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેથી તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે.

પોષણથી ભરપૂર :-

ખીચડી પોતાનામાં સંતુલિત ભોજન છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ડાયેટરી ફાઈબર, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.

Next Story