વિટામિન A, B12, C, D કે E જ નહીં પરંતુ વિટામિન P પણ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક... જાણો વિટામિન P ના સોર્સ..........

સ્વસ્થ રહેવા માટે ખોરાકમાં વિટામીન્સ હોવું ખૂબ જ જરૂરી છે. તમે અત્યાર સુધી ઘણા વિટામીન્સ ના નામ તો સાંભડયા હશે.

New Update
વિટામિન A, B12, C, D કે E જ નહીં પરંતુ વિટામિન P પણ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક... જાણો વિટામિન P ના સોર્સ..........

સ્વસ્થ રહેવા માટે ખોરાકમાં વિટામીન્સ હોવું ખૂબ જ જરૂરી છે. તમે અત્યાર સુધી ઘણા વિટામીન્સ ના નામ તો સાંભડયા હશે. પરંતુ તમે વિટામિન P વિષે જાણો છો? તો જાણો તેના ફાયદા અને ગેરફાયદા... આ સાથે જ તમારે એ જાણવું પણ જરૂરી છે કે તમારા આહારમાં ક્યાં ખોરાકનો સમાવેશ થાય છે. તમે આ વિટામિનની ઉણપ પૂરી કરી શકો છો. વિટામિન પી એક પ્રકારના ફ્લેવેનોઈડ તરીકે ઓળખાય છે. તેમાં ફાયટોન્યૂટ્રીઅન્ટ અને એંટીઓક્સિડંટો મળી આવે છે. તેની ઉણપના કારણે અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. તેથી તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને તમે તેની ઉણપને પૂરી કરી શકો છો.

· ખાટ્ટા ફળો

વિટામિન પી ની ઉણપને પૂરી કરવા માટે ખાટાં ફળોને તમારા આહારનો ભાગ બનાવો. નારંગી, લીંબુ અને દ્રાક્ષ જેવા ફળોમાં ફ્લેવેનોઈડ પુષ્કળ પ્રમાણમા જોવા મળે છે.

· ગ્રીન ટી

ગ્રીન ટીમાં કેટેચિન જોવા મળે છે, જે એક પ્રકારનો ફ્લેવોનોઈડ છે, જે વજન ઘટાડવાથી લઈને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે, તેથી વિટામિન પીની ઉણપને પૂરી કરવા માટે ગ્રીન ટીને દિનચર્યામાં સામેલ કરો.

· શાકભાજી

પાલક, બ્રોકોલી જેવી શાકભાજીમાં પણ ફ્લેવોનોઈડ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ શાકભાજીને રોજિંદા આહારમાં સામેલ કરવાના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

· બેરી

જો તમે વિટામીન P ની ઉણપને પૂરી કરવા માંગો છો તો બ્લુબેરી, રાસ્પબેરી, બ્લેક બેરી અને સ્ટ્રોબેરી વગેરેને તમારા આહારનો ભાગ બનાવો. આ સિવાય સફરજન પણ એક ઉત્તમ વિકલ્પ છે.

· ડાર્ક ચોકલેટ

ચોકલેટ તો મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ ડાર્ક ચોકલેટ તમામ લોકો ખાતા નથી. ડાર્ક ચોકલેટમાં કેટેચિન હોય છે.

Read the Next Article

ડેન્ગ્યુની પહેલી સ્વદેશી રસી: ક્યારે આવશે અને કેટલી અસરકારક રહેશે?

ભારતમાં ડેન્ગ્યુ માટે પહેલી સ્વદેશી રસી આગામી બે વર્ષમાં તૈયાર થઈ શકે છે. એવી અપેક્ષા છે કે તેના આગમન પછી, ડેન્ગ્યુથી થતા મૃત્યુમાં મોટો ઘટાડો થઈ શકે છે.

New Update
dengue

ભારતમાં ડેન્ગ્યુ માટે પહેલી સ્વદેશી રસી આગામી બે વર્ષમાં તૈયાર થઈ શકે છે. એવી અપેક્ષા છે કે તેના આગમન પછી, ડેન્ગ્યુથી થતા મૃત્યુમાં મોટો ઘટાડો થઈ શકે છે.

ICMR અને એક ભારતીય કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ રસી હાલમાં ક્લિનિકલ ટ્રાયલ તબક્કામાં છે. એવું માનવામાં આવે છે કે આ રસી ડેન્ગ્યુ સામે એક નવું સ્વદેશી શસ્ત્ર સાબિત થશે.

ભારત ડેન્ગ્યુ સામેના યુદ્ધમાં એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે. દર વર્ષે સેંકડો લોકોના મૃત્યુ માટે જવાબદાર ડેન્ગ્યુનો અંત ખૂબ નજીક છે. મચ્છરોના કારણે ફેલાતા ડેન્ગ્યુ સામે દેશની પ્રથમ સ્વદેશી રસી તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR અને એક ભારતીય કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ રસીના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.

વરસાદની ઋતુ દરમિયાન દર વર્ષે હજારો લોકોની બીમારી અને સેંકડો લોકોના મૃત્યુનું કારણ ડેન્ગ્યુ બને છે. તેની સામે લડવા માટે દેશની પ્રથમ સ્વદેશી રસી તૈયાર કરવાના પ્રયાસો ચાલુ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને એક ભારતીય કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ રસીના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ રસી આગામી બે વર્ષમાં તૈયાર થઈ શકે છે. એટલે કે, વર્ષ 2027 ના અંત સુધીમાં, તેને વેક્સિન ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી માટે મોકલી શકાય છે અને તે પછી જ તે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે.

આરોગ્ય નિષ્ણાત ડૉ. સમીર ભાટીના મતે, આ એક ટેટ્રાવેલ રસી હશે, એટલે કે, તે ડેન્ગ્યુના ચારેય સેરોટાઇપ્સ સામે કામ કરશે. ડૉ. સમીર ભાટી કહે છે કે બજારમાં આ રસીના આગમન પછી, ડેન્ગ્યુથી થતા મૃત્યુની સંખ્યામાં 80 થી 90 ટકાનો ઘટાડો થઈ શકે છે.

ડેન્ગ્યુ રસીના આગમન પછી, ડેન્ગ્યુથી થતા મૃત્યુના કેસોમાં અને રોગની ગંભીરતામાં ઘટાડો થઈ શકે છે. આ રસીનો હેતુ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનો છે. જેથી ડેન્ગ્યુનો ચેપ ગંભીર સ્વરૂપ ન લે અને દર્દીનો જીવ બચાવી શકાય. જોકે કોઈ પણ રસી રોગથી સંપૂર્ણ રક્ષણની ખાતરી આપતી નથી, પરંતુ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીને જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાશે.

આ રસી આત્મનિર્ભર ભારત તરફ એક અભૂતપૂર્વ પગલું સાબિત થશે. આ રસી સંપૂર્ણપણે સ્વદેશી છે, એટલે કે, આ રસી ભારતમાં જ વિકસાવવામાં આવી છે અને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ રસી ડેન્ગ્યુના ચારેય સેરોટાઇપ્સ સામે અસરકારક સાબિત થશે, જેને અત્યાર સુધી એક મોટો પડકાર માનવામાં આવે છે.

ડેન્ગ્યુ એક ખૂબ જ ગંભીર અને જીવલેણ રોગ છે. રસી આવ્યા પછી, આ રોગ ગંભીર બનવાનું કે મૃત્યુ થવાનું જોખમ ઘણી હદ સુધી ઘટી જશે. બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને તેના ઉપયોગથી વધુ ફાયદો થશે. જોકે, રસી આવ્યા પછી પણ, મચ્છર નિયંત્રણ અને સ્વચ્છતાની જરૂર પડશે, કારણ કે કોઈ પણ રસી રોગથી રક્ષણની 100 ટકા ગેરંટી આપી શકતી નથી.

Dengue Dieses | Health News | Vaccine