હવે પેટ ભરીને ખાઓ પાણીપુરી, અનેક ફાયદાઓ જાણીને ચોંકી જશો.

પાણીપુરીનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ એક એવી ડિશ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

New Update
હવે પેટ ભરીને ખાઓ પાણીપુરી, અનેક ફાયદાઓ જાણીને ચોંકી જશો.

પાણીપુરીનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ એક એવી ડિશ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દેશભરમાં વિભિન્ન વિસ્તારમાં પાણીપુરી મળતી હોય છે. તો ખાસ જાણો કે પાણીપુરી ખાવાથી સ્વાસ્થ્યને કેટ કેટલા ફાયદાઓ થાય છે.

વજન ઓછું કરે છે.

તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે પાણીપુરી ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. આ માટે તમે સોજીની પાણીપુરી ખાશો નહીં પરંતુ તમે લોટની પાણીપુરી ખાવાની આદત રાખો. આ સાથે જ ગળ્યું પાણી પીવાનું છોડી દો. આ માટે તમે ફુદીના, લીંબુ, હિંગ અને કાચી કેરીનાં પાણીનો ઉપયોગ કરી શકો છો. પાણીમાં રહેલી આ વસ્તુ તમારુ વજન ઘટાડવામાં મદદ કરશે.

મોં ના છાલા માંથી રાહત મળે છે.

પાણીપુરી ખાવાથી તમને મોં ના છાલા માંથી રાહત મળે છે. પાણીપુરીના પાણીમાં જલજીરાનો ઉપયોગ થાય છે. અને સાથે જ પાણી પણ તીખું હોય છે. જેના કારણે મોં ના છાલા માં રાહત મળે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પાણી અને પકોડી તમારે વધારે માત્રમાં ખાવાના નથી.

એસિડિટીમાં રાહત કરે છે.

પાણીપુરી ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે. લોટની પાણિપુરીની સાથે જલજીરા, ફૂદીનો, કાચી કેરી, કાળું મીંઠું, કાળા મરીનો પાવડર અને પીસેલું જીરું તેમજ સાદા મીંઠાનો ઉપયોગ થઈ છે. આ દરેક વસ્તુઓ તમે એસિડિટી માંથી રાહત આપાવે છે. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે તમને એસિડિટીની સમસ્યા છે તો રાતે મોડા પાણીપુરી ખાસો નહીં.

ગભરામણ થાય તો પાણીપુરી ખાઓ

તમને ગભરામણ જેવુ થાય ત્યારે તરત જ તમે પાણીપુરી ખાવાનું શરૂ કરી દો. પાણીપુરી ખાવાથી ગભરામણ જેવી સમસ્યામાં તરત જ આરામ મળે છે. આ સમયે તમે 4 થી 5 પાણીપુરી ખાઓ. આમ કરવાથી ગભરામણ જેવી સમસ્યામાં રાહત મળી જાય છે.

મૂડ રિફ્રેશ થઈ જાય છે.

તમારો મૂડ સખત ખરાબ અને તમને સાવ આખા દિવસના કંટાળી ગયા છો તો ખાસ કરીને પાણીપુરી ખાઓ. પાણીપુરી તમારો મૂડ સારો કરી દેશે અને તમારો કંટાળો દૂર કરી દેશે.

જાણો ક્યારે અને કેવી રીતે પાણીપૂરી ખાશો

પાણીપૂરી ખાવાનો સૌથી બેસ્ટ સમય બપોરનો છે. લંચ અને સાંજના નાસ્તાની વચ્ચે પાણીપૂરી ખાવાથી ફાયદો થાય છે. પાચન તંત્ર સારુ રહે છે અને સાથે વર્કઆઉટ પણ કરી શકો છો. 

Read the Next Article

કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

New Update
nipa virus

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે.

આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

શરુઆતના લક્ષણો

તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Kerala | health 

Latest Stories