ઠંડા વાતાવરણમાં તમારા દિવસની શરૂઆત કરો આ વસ્તુઓથી અને રહો સ્વસ્થ
શિયાળાને ખાવા-પીવાની મોસમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે, આ સમય દરમિયાન તમારે તમારા આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ,
શિયાળાને ખાવા-પીવાની મોસમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે, આ સમય દરમિયાન તમારે તમારા આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તમારી સામે ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સિઝનમાં દિવસનું પહેલું ભોજન ખાવાનું મહત્વ ઘણું વધી જાય છે, જે તમને ઉર્જા આપવાની સાથે-સાથે ગરમ પણ રાખે છે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક વસ્તુઓ વિશે જે ઠંડીની ઋતુમાં તમારા આહારમાં હોવી જોઈએ.
આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તે સાઇટ્રિક એસિડથી ભરપૂર ફળ છે, જેને તમે ઘણી રીતે ખાઈ શકો છો. ઘણા લોકો શિયાળામાં આમળાનો રસ, ચટણી અથવા મુરબ્બો બનાવીને તેનું સેવન કરે છે. તે માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં, પણ તમારી ત્વચાને ચમકદાર પણ બનાવે છે. જો તમે શિયાળામાં રોજ ખાલી પેટે 1 આમળાનું સેવન કરો છો, તો તે તમારા શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.
શિયાળામાં તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે શરીરને ગરમ રાખે છે. ઘી તેમાંથી એક છે. ઘી અને લોટનો હલવો, ઘી માંથી બનાવેલા લાડુ વગેરે ખાઓ, જો તમે સવારે દૂધ સાથે તેનું સેવન કરો છો, તો શરીરને તાત્કાલિક ગરમી અને શક્તિ મળે છે. ઘી માં હેલ્ધી ફેટ હોય છે. આ ઉપરાંત, તે શરીરને વિટામિન-એ, વિટામિન-ઇ, વિટામિન-કે, ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડની સપ્લાય પણ કરે છે. જો તમે સવારે 1 ચમચી શુદ્ધ ગાયના ઘીનું સેવન કરો છો તો તેનાથી ઘણો ફાયદો થઈ શકે છે.
દલિયા કેલરીમાં ખૂબ જ ઓછી હોય છે, તે જ સમયે, તે ફાઇબરથી સમૃદ્ધ છે, જે લાંબા સમય સુધી ભૂખને નિયંત્રિત કરે છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદરૂપ છે. શિયાળામાં આંતરડાને સ્વસ્થ રાખવા માટે તમે તેનું સેવન નાસ્તામાં કરી શકો છો.