ચોમાસામા દૂધ સહિત આ ચીજોનું સેવન કરતાં પહેલા વિચારો, નહીં તો પડી જશો બીમાર......

ચોમાસાની સિઝન ગરમીથી ઝડપથી રાહત આપી છે પરંતુ અનેક પ્રકારની બીમારીઓને પણ સાથે લઈને આવે છે.

New Update
ચોમાસામા દૂધ સહિત આ ચીજોનું સેવન કરતાં પહેલા વિચારો, નહીં તો પડી જશો બીમાર......

ચોમાસાની સિઝન ગરમીથી ઝડપથી રાહત આપી છે પરંતુ અનેક પ્રકારની બીમારીઓને પણ સાથે લઈને આવે છે. આ સમયે હેલ્ધનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નબળી ઇમ્યુનિટી વાળા લોકો માટે તો ચોમાસુ ચેલેન્જ સમાન બને છે. વરસાદમાં વાયરસ અને બેક્ટેરિયાના કારણે ઇન્ફેકશનનો ખતરો વધે છે. આ માટે સાફ સફાઈની સાથે ખાનપાનણે લઈને પણ સતર્ક રહો. નોર્મલ દિવસોમાં જે વસ્તુ ફાયદાકારક હોય છે તે જ વસ્તુ વરસાદી ઋતુમાં નુકશાન કરે છે. તેમાં દૂધ પણ સામેલ છે. આયુર્વેદ વરસાદની ઋતુમાં ઓછું દૂધ પીવાની સલાહ આપે છે. વરસાદી ઋતુમાં ડેરી પ્રોડકટ જેવી કે દૂધ, દહીંથી અંતર રાખવું જોઈએ.

Advertisment

વરસાદમાં કેમ દૂધ ના પીવું જોઈએ...

જો તમે રોજ દૂધ પીવો છો અને જો તમારે ચોમાસામાં પણ દૂધ પીવું છે તો તમે દૂધમાં હળદર મિક્સ કરીને પી શકો છો. તેનાથી દૂધની તાકાત વધી જાય છે અને ઇન્ફેકશન નો ખતરો પણ નથી રહેતો. તેનાથી શરીરની ઇમ્યુનિટી પણ વધી જાય છે.

ચોમાસામાં શું ના ખાવું જોઈએ?

લીલાપાન વાળા શાક

ખાસ કરીને રોજિંદા જીવનમાં લીલાપાન વાળા શાક ખાવાની સલાહ આપે છે,પણ વરસાદની સિઝનમાં તેને ન ખાવું જ સારું રહે છે. આ સિઝનમાં હવામાં ભેજ વધારે રહે છે અને તેના કારણે બેક્ટેરિયા અને સૂક્ષ્મજોવોનું પ્રજનન વધે છે. જે માટીમાં શાક ઉગાડવામાં આવે છે તે હાલ ગંદી હોય છે. આ માટે લીલા શાક ખાવાનું ટાળવું જોઈએ. જો તમે લીલા શાક ખાવો છો તો તેને બરાબર સાફ કરીને જ ખાવા જોઈએ.

તળેલું અને શેકેલુ ખાવાનું ટાળો

Advertisment

વરસાદમાં સમોસા કે ભજીયા કે કોઈ પણ તળેલી કે શેકેલી વસ્તુ ના ખાવું સારું રહેશે. આને ખાવાથી ગેસ અને અપચા જેવી સમસ્યા રહે છે. ધ્યાન રાખો કે તળેલું તેલ ફરીથી ઉપયોગમાં ના લેવું. તે ઝેરી બની શકે છે.  

Advertisment
Read the Next Article

સિંગાપોર હોંગકોંગ બાદ ભારતમાં પણ કોરોનાનો પગપેસારો,આરોગ્ય વિભાગ સજ્જ

કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે..

New Update
Corona virus

સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશતની લાગણી છે. કોરોનાનો JN.1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે.

Advertisment

કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. એક અઠવાડિયાની અંદર જ રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે. જો કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ પણ થયું છે. જો કે વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે.2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11 હજારથી વધુના મોત થયા છે. ત્યાર હવે ગુજરાતનું તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ગયું છે અને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાય છે.જે 95 એક્ટિવ કેસ છે,તો પછી બીજા નંબરે તમિલનાડુ 66 એક્ટિવ કેસ સાથે છે. આ લિસ્ટમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. ફરી એકવાર કેરળતમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે.

Advertisment
Latest Stories