મહારાષ્ટ્રના મુંબઈમાં મૂશળધાર વરસાદ,વાહન વ્યવહાર ખોરવાયો

New Update
મહારાષ્ટ્રના મુંબઈમાં મૂશળધાર વરસાદ,વાહન વ્યવહાર ખોરવાયો

મહારાષ્ટ્રના મુંબઈમાં મૂશળધાર વરસાદ પડતો રહ્યો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં. રસ્તાથી લઈને રેલના પાટા ચારેબાજુ પાણી પાણી જોવા મળ્યુ છે. અને  થાને, રાયગઢમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં અતિભારે  વરસાદના કારણે લોકલ ટ્રેનો અને બસ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરાયા છે અને તેમા ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. મુંબઈના લોખંડવાલા, વીરા દેસાઈ રોડ, અંધેરી, પરેલ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. લોકો અનેક મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે.

મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. દાદર, કુર્લા સ્ટેશન, ચેમ્બુરમાં સોસાયટીમાં પાણી ભરાયા છે. ગોરેગાવ, સાયન રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની 4 લાઇન ઠપ જોવા મળી છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.