રાજકોટ અને જસદણમાં તમને મળશે હર્બલ ચા, જુઓ ચા પીવાથી શું થાય છે ફાયદા ?

New Update
રાજકોટ અને જસદણમાં તમને મળશે હર્બલ ચા, જુઓ ચા પીવાથી શું થાય છે ફાયદા ?

રાજયમાં કોરોના વાયરસનો અજગરી ભરડો ફેલાયો છે ત્યારે લોકો કોરોનાના સંક્રમણથી બચવા માટે અવનવા તુકકા અજમાવી રહયાં છે. રાજકોટ અને જસદણમાં હાલ સામાન્ય ચાની જગ્યાએ હર્બલ ચાનું વેચાણ થઇ રહયું છે અને લોકોને તે પસંદ પણ આવી રહી છે.

કોરોના વાયરસનો કહેર વધી રહયો હોવાથી દરેક લોકો હવે સાવચેત બની ગયાં છે અને પોતે કોરોના વાયરસથી સંક્રમિત ન થાય તે માટે તમામ પગલાં ભરી રહયાં છે. ચા એ માનવ જીવનનો અભિન્ન હિસ્સો છે ત્યારે ચાના માધ્યમથી કોરોના વાયરસથી રક્ષણ આપવાના પ્રયાસો હાથ ધરાયાં છે. રાજકોટ અને જસદણમાં આવેલી કેટલીક કીટલીઓ પર હાલ હર્બલ ચાનું વેચાણ કરવામાં આવી રહયું છે. વિવિધ મસાલાઓનો ઉપયોગ કરી વિશેષ પ્રકારની ચા બનાવવામાં આવે છે.

ચાની કીટલી પર એકત્ર થયેલાં લોકો સામાન્ય નહિ પરંતુ હર્બલ ચા પી રહયાં છે. કોરોનાના કપરા સમયમાં દરેક વ્યકતિને પોતાનો જીવ વ્હાલો છે ત્યારે તેઓ કોરોનાથી બચવા કોઇ પણ પગલાં લેવામાં કસર છોડી રહયાં નથી. આદુ, મરી, ફુદીના સહિતની પ્રાકૃતિક વસ્તુમાંથી બનેલી હર્બલ ટી સ્વાસ્થયપ્રદ છે અને તેનાથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

સૌરાષ્ટ્ર પંથકમાં ચા પીવાનું ચલણ વધારે છે ત્યારે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ ચાની કીટલીવાળાઓને હર્બલ ચા કેવી રીતે બનાવવી તેની પણ તાલીમ આપવામાં આવી રહી છે. આર્યુવેદિક ઉકાળાની જેમ લોકો હર્બલ ટીને પણ આવકારી રહયાં છે.

Read the Next Article

રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય, બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે. આજે બે જિલ્લામાં

New Update
varsad

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે.

આજે બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું  યલો એલર્ટ અપાયું છે.  આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા  મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.