IND vs WI: ભારત પર શ્રેણી જીતવા માટે દબાવ, કટકમાં આજે ખરાખરીનો જંગ

New Update
IND vs WI: ભારત પર શ્રેણી જીતવા માટે દબાવ, કટકમાં આજે ખરાખરીનો જંગ

આ વર્ષે માર્ચમાં

ભારતને પોતાના જ આંગણે ઔસ્ટ્રેલિયા સામે પાંચ મેચની વનડે સિરીઝમાં 2-3થી પરાજયનો

સામનો કરવો પડ્યો હતો. જો વેસ્ટ ઇન્ડીઝ આ સિરીઝ જીત છે, તો ભારત તેની પોતાની ધરતી પર બીજી વનડે શ્રેણી ગુમાવશે.

ભારત અને વેસ્ટ

ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે બપોરે 1:30

વાગ્યાથી કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણીની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝે 8

વિકેટે જીતી હતી, ત્યારબાદ ભારતે મહેમાન ટીમને 107 રનથી

હરાવીને શાનદાર વાપસી કરી હતી. કટકમાં શ્રેણીની નિર્ણાયક વન-ડે મેચ હશે, આ મેચ જે જીતશે તે

શ્રેણીને પોતાના નામે કરશે.

શ્રેણી જીતવા માટે

ભારત પર દબાણ

ટીમ ઈન્ડિયા પર આ

મેચ અને સિરીઝ જીતવા માટે દબાણ રહેશે. આ વર્ષે માર્ચમાં ભારતને પાંચ મેચની વનડે

સિરીઝમાં ઔસ્ટ્રેલિયાના હાથે પોતાના જ ઘર આંગણે 2-3થી પરાજય મળ્યો હતો. જો વેસ્ટ ઇન્ડીઝ

આ સિરીઝ જીતવા તરફ આગળ વધે છે, તો ભારત તેની પોતાની

ધરતી પર જ બીજી વનડે શ્રેણી

ગુમાવશે. કટકની બારાબતી સ્ટેડિયમની પિચ પણ વિશાખાપટ્ટનમની જેમ બેટ્સમેનોને મદદરૂપ થશે.

ત્રીજી વનડેમાં જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે સતત 10મી વખત દ્વિપક્ષીય વનડે શ્રેણી પોતાના નામે કરી લેશે.

કેપ્ટનનો નિરાશાજનક

દેખાવ

વિશાખાપટ્ટનમમાં

રમાયેલી બીજી મેચમાં ભારતે તોફાની રીતે વાપસી કરી હતી. કેપ્ટન વિરાટ કોહલી ખાતું ખોલી શક્યો નહીં, પરંતુ રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર અને રૂષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ચાઈનામેન

બોલર કુલદીપ યાદવે હેટ્રિક લીધી હતી.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.

Latest Stories