મહારાષ્ટ્રના 103 ખેડૂતોને વકફ બોર્ડની નોટીસ, 300 એકર જમીન પર દાવો કર્યો હોવાના આક્ષેપ

મહારાષ્ટ્રના ખેડૂતોએ શનિવારે આરોપ લગાવ્યો કે રાજ્ય વક્ફ બોર્ડ તેમની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર સ્ટેટ વકફ ટ્રિબ્યુનલમાં લગભગ 300 એકર જમીન પરના દાવાનો કેસ ચાલી રહ્યો છે.

New Update
a

મહારાષ્ટ્રના ખેડૂતોએ શનિવારે આરોપ લગાવ્યો કે રાજ્ય વક્ફ બોર્ડ તેમની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર સ્ટેટ વકફ ટ્રિબ્યુનલમાં લગભગ 300 એકર જમીન પરના દાવાનો કેસ ચાલી રહ્યો છે.

Advertisment

આ સંદર્ભમાં બોર્ડે લાતુરના 103 ખેડૂતોને નોટિસ મોકલી છે. આ કેસમાં બે સુનાવણી થઈ છે. આગામી સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે.તેના પર ખેડૂતોએ દાવો કર્યો છે કે આ વકફ પ્રોપર્ટી નથી, આ તેમની પૈતૃક જમીન છે. તેઓ પેઢીઓથી તેના પર ખેતી કરે છે. ખેડૂતોએ મહારાષ્ટ્ર સરકારને ન્યાય આપવાની અપીલ કરી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષ સમીર કાઝીએ આ વાતને નકારી કાઢી છે. તેમણે મીડિયાને જણાવ્યું કે બોર્ડ દ્વારા કોઈને પણ નોટિસ મોકલવામાં આવી નથી. કોઈપણ જમીન પર કોઈ દાવો કરવામાં આવ્યો નથી. એક વ્યક્તિએ ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે, તેને માત્ર નોટિસ મોકલવામાં આવી છે.

Advertisment