![ભોપાલના મંત્રાલય ભવનમાં લાગી ભીષણ આગ, ઘણા જરૂરી દસ્તાવેજ સળગીને રાખ થયા](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/8ac510dc5b54f2f69370dad890ba99b71e9c424aae95a4558aac92aafe37f452.webp)
ભોપાલના મંત્રાલય ભવનમાં ભીષણ આગ લાગી છે. આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.લોકો ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા. ફાયર વિભાગને તરત જ આ મામલાની જાણ કરવામાં આવી હતી, જે બાદ અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ માહિતી બહાર આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ એટલી ગંભીર હતી કે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હતા.ઉલ્લેખનીય છે કે વલ્લભ ભવન રાજ્ય સરકારનું સૌથી મહત્વપૂર્ણ કાર્યાલય છે, જ્યાં મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓની ઓફિસો આવેલી છે. સરકારી વિભાગોને લગતા મહત્વના દસ્તાવેજો અહીં રાખવામાં આવે છે.