Connect Gujarat
દેશ

ભોપાલ: વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર બેકાબૂ કાર ફરી વળતાં દોડધામ; એક યુવકનું મોત, જુઓ વિડિયો

ભોપાલમાં દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર બેકાબૂ બનેલી કાર ફરી વળતાં દોધધામ મચી જવા પામી હતી.

X

ભોપાલમાં દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર બેકાબૂ બનેલી કાર ફરી વળતાં દોધધામ મચી જવા પામી હતી. કારની ટક્કર લાગવાથી એક યુવકનું મોત થયું છે જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ભોપાલમાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર કાર ફરી વળી હતી. ઘટનાના પગલે દોડાદોડી મચી જવા પામી હતી જ્યારે ડ્રાઈવર ઝડપથી કાર રિવર્સ લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટના શહેરના સ્ટેશન ક્ષેત્ર બજરિયામાં શનિવારના રાતના 11.15 કલાકની છે. આ ઘટનાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટનામાં કારે કુલ 7 લોકોને અડફેટે લીધા હતા જેમાં એક યુવકનું મૃત્યુ નીપજયું છે જ્યારે 6 જેટલા લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે ઘાયલોમાંથી બેની સ્થિતિ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, લોકો કાર ડ્રાઈવરને પકડવા પાછળ પણ ભાગ્યા હતા પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. ડ્રાઈવરના વર્તનથી ગુસ્સે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે સ્થિતિ વણસતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી. ઘટના સ્થળે હાલ તણાવ છે. ત્યારે પોલીસ હવે કાર ચાલકને શોધી રહી છે.

Next Story