/connect-gujarat/media/post_banners/c6659505402b859b3abadced6ec121c27e5ab22252ebede0718a3ed4f5ec71be.webp)
સિક્કિમના પ્રખ્યાત પર્યટન સ્થળ ગંગટોકમાં મંગળવારે હિમસ્ખલન (એવલોન્ચ) થયું હતું. જેમાં 6 લોકોનાં મોત થયા છેઅને 150 લોકો બરફમાં ફસાયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર બપોરે લગભગ 12:20 વાગ્યે બની હતી. સંભાવના એવી પણ છે કે આમાં કેટલાક ગુજરાતીઓ પણ હોઈ શકે છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં અકસ્માત થયો છે ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે, પરંતુ પ્રવાસીઓ પરવાનગી વગર 15મા માઈલ તરફ ગયા હતા. આ ઘટના 15મી માઈલમાં જ બની હતી.