/connect-gujarat/media/media_files/2024/12/08/ZmUHwhABcPKSvZ4G6gwu.jpg)
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તમિલનાડુ સરકારને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી રૂ. 944 કરોડની સહાય મંજૂર કરી છે. 30 નવેમ્બરના રોજ તમિલનાડુમાં ત્રાટકેલા ચક્રવાત ફેંગલથી રાજ્યને ભારે અસર થઈ હતી.
કેન્દ્ર સરકારે તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ફેંગલને કારણે થયેલી વિનાશની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ટીમ પણ મોકલી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું- IMCTના અહેવાલો મળ્યા પછી, રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડમાંથી આપત્તિ અસરગ્રસ્ત રાજ્યોને વધારાની નાણાકીય સહાય આપવામાં આવશે.તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને 2 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ (NDRF) માંથી રૂ. 2 હજાર કરોડની સહાયની માંગ કરી હતી.કેન્દ્ર સરકારે 2024માં 28 રાજ્યોને 21718.716 કરોડ રૂપિયાની સહાય આપી છે, જેમાંથી 26 રાજ્યોને રાજ્ય આપત્તિ રાહત ફંડમાંથી 14878.40 કરોડ રૂપિયા અને 18 રાજ્યોને રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડમાંથી 4808.32 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.