/connect-gujarat/media/media_files/2025/06/09/ZZthEVOWgiMFqtruzQmt.jpg)
કેરળના દરિયાકાંઠે કોલંબોથી મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે જહાજ પરના 4 ક્રૂ સભ્યો ગુમ છે અને 5 ઘાયલ થયા છે.
આ વિસ્ફોટ કોચીથી લગભગ 315 કિમી પશ્ચિમમાં થયો હતો. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ બચાવ કામગીરીમાં જોતરાયા છે. જહાજ પરથી લગભગ 50 કન્ટેનર દરિયામાં ઊડીને પડી ગયા છે. ગુમ થયેલા ક્રૂ સભ્યોની શોધ ચાલુ છે.
કેરળની દરિયાઈ હદમાં એક મોટો અકસ્માત થયો. કોલંબોથી ન્હાવા શેવા જઈ રહેલા કન્ટેનર ભરેલ વિશાળ જહાજ MV WAN HAI 503 માં મોટો વિસ્ફોટ થયો છે.
આ વિસ્ફોટ કોચીથી લગભગ 315 કિમી પશ્ચિમમાં જહાજના અંડર ડેક (નીચલા ભાગ) માં થયો હતો. અકસ્માત બાદ જહાજના 4 ક્રૂ સભ્યો ગુમ થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. કુલ 22 ક્રૂ સભ્યો જહાજ પર હતા. જહાજ વિવિધ ચીજવસ્તુઓના કન્ટેનરથી ભરેલું હતું.
ક્રૂ મેમ્બર્સને બચાવવાના પ્રયાસો ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જહાજ પર રાખેલા 50 કન્ટેનર વિસ્ફોટને કારણે ઉડીને દરિયામાં પડી ગયા હતા. જહાજ પર 600 થી વધુ કન્ટેનર રાખવામાં આવ્યા છે.
નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના જહાજો ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ શંકા છે કે જહાજમાં રાખવામાં આવેલા કોઈ કન્ટેનરની અંદર ભયાનક વિસ્ફોટ થયો હશે.