/connect-gujarat/media/media_files/2024/12/25/zZEGDke5llZZ2XubOBSq.jpg)
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પુણે હાઈવે નજીક બુધવારે સવારે કેમિકલ લઈ જતું ટેન્કર પલટી ગયું અને આગ લાગી ગઈ હતી.આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાને કારણે બે કલાક સુધી રસ્તા પરનો ટ્રાફિક પ્રભાવિત થયો હોવાનું જાણવા મળ્યું છે.
સ્પીડમાં જઈ રહેલા ટેન્કર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દેવાને કારણે ટેન્કર પલટી ગયું હતું.ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાને કારણે આગ લાગી ગઈ અને નુકસાન થયું હતુ. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ખોપોલી પોલીસ અને ખાનગી કંપનીના ફાયર બ્રિગેડની જુદીજુદી ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેમિકલથી ભરેલું ટેન્કર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી બહાર નીકળ્યા પછી ખોપોલીમાં પલટી ગયુ હતુ અને તેમાં આગ લાગી ગઈ હતી.આખુ ટેન્કર આગની ચપેટમાં આવી ગયું અને કેમિકલ રસ્તા પર ફેલાઈ જવાને કારણે આગ રસ્તાના કિનારે ફેલાઈ ગઈ હતી.અને અન્ય વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા.સર્જાયેલી દુર્ઘટના ને પગલે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.