જમ્મુ કાશ્મીર: નેતાઓથી લઇને નિવૃત્ત જજ સહિત 177 અગ્રણીઓની સુરક્ષા પાછી ખેંચાઈ
જમ્મુ અને કાશ્મીરમાં રાજકારણીઓ, નિવૃત્ત અધિકારી અને નિવૃત્ત ન્યાયાધીશ સહિત 177 અગ્રણી વ્યક્તિ ની વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે
જમ્મુ અને કાશ્મીરમાં રાજકારણીઓ, નિવૃત્ત અધિકારી અને નિવૃત્ત ન્યાયાધીશ સહિત 177 અગ્રણી વ્યક્તિ ની વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. આ આદેશ 20 રાજકારણીઓની વધારાની સુરક્ષા પાછી ખેંચાઈ બાદ અને SSP અને SP રેન્કના કેટલાક પોલીસ અધિકારીઓના PSOને પાછા ખેંચાયા થોડા દિવસો બાદ આવ્યો છે.
સુરક્ષા વિભાગ દ્વારા વધારાના PSO ધરાવતા અન્ય સેવા નિવૃત પોલીસ અધિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા છે, જેમાં મુબારક અહમદ ગની, રફ-ઉલ-હસન, એએસ બાલી, મોહમ્મદ અમીન અંજુમ (મન્હાસ), ગુલામ હસન ભટ, મોહમ્મદ અમીન શાહ, જગજીત કુમાર નો સમાવેશ થાય છે. જાવેદ અહમદ મખદૂમી અને સમાસ અહેમદ ખાન, આ તમામ IGP તરીકે સેવા નિવૃત્ત થયા છે. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મુઝફ્ફર હુસૈન અત્તર અને પૂર્વ વરિષ્ઠ એડિશનલ એડવોકેટ જનરલ બશીર અહેમદ ડારની સુરક્ષા પણ ઘટાડવામાં આવી છે. નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પીડીપી, ભાજપ, ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP), પીપલ્સ કોન્ફરન્સના ઘણા નેતાઓ પણ વધારાનું સુરક્ષા કવચ ગુમાવ્યું છે. તેમાં ગુલામ અહમદ મીર, નાસિર અસલમ વાની ઉર્ફે સોગામી, કફીલ-ઉર-રહેમાન, નઝીર ગુરેજી, જાવેદ રાણા, ડૉ. સજ્જાદ શફી, ફક્ત વટાલી સામેલ છે. હિલાલ અકબર લોન, તાજ મોહી-ઉદ્દ-દિન, મોહમ્મદ ઈકબાલ મીર, ફયાઝ અહમદ મીર, મોહમ્મદ અમીન ભટની પણ વધારાની સુરક્ષા હટાવવામાં આવી છે