કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ, વિદેશ મંત્રાલયે મંગાવી ઓનલાઈન અરજીઓ

હિંદુઓ, જૈનો અને બૌદ્ધો માટે અત્યંત પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ આ વર્ષે ૩૦ જૂન, ૨૦૨૫ થી થવા જઈ રહ્યો છે.

New Update
કૈલાશ માનસરોવર.

હિંદુઓ, જૈનો અને બૌદ્ધો માટે અત્યંત પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ આ વર્ષે ૩૦ જૂન, ૨૦૨૫ થી થવા જઈ રહ્યો છે.

કોવિડ મહામારી અને ચીન સાથેના તણાવ સહિતના કારણોસર વર્ષ ૨૦૨૦ થી આ યાત્રા સ્થગિત હતી. હવે યાત્રા ફરી શરૂ થવાની જાહેરાત સાથે શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર પ્રસરી છે.

Advertisment

યાત્રાની દેખરેખ રાખનાર વિદેશ મંત્રાલય (Ministry of External Affairs - MEA) એ જાહેરાત કરી છે કે કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ૩૦ જૂનથી શરૂ થશે અને ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. મંત્રાલયે આ યાત્રા માટે અરજી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે અને અરજી માટેની વિન્ડો ખોલવામાં આવી છે.

યાત્રાનો રૂટ અને શ્રદ્ધાળુઓની સંખ્યા:

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે કુલ ૭૫૦ શ્રદ્ધાળુઓને કૈલાશ પર્વત અને માનસરોવર તળાવના પવિત્ર સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. આ યાત્રા ૧૫ જૂથોમાં વહેંચીને યોજવામાં આવશે, જેમાં દરેક જૂથમાં ૫૦ યાત્રાળુઓ હશે.

યાત્રા માટે બે સત્તાવાર માર્ગોનો ઉપયોગ કરવામાં આવશે. ૫૦ યાત્રાળુઓને લઈને પાંચ બેચ ઉત્તરાખંડના લિપુલેખ પાસ થઈને જશે, જેનો ઉપયોગ ૧૯૮૧ થી કરવામાં આવી રહ્યો છે. જ્યારે, ૫૦-૫૦ યાત્રાળુઓની ૧૦ બેચ સિક્કિમના નાથુ લા પાસ થઈને જશે, જેનો ઉપયોગ ૨૦૧૫ થી શરૂ થયો છે.

Advertisment
Latest Stories