New Update
બિહારમાં નશાબંધી લાગુ કરવામાં આવી છે,પરંતુ તેમ છતાં ઝેરી દારૂ પીવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે,ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી હતી,જેમાં ઝેરી દારૂ પીવાથી સાતથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે 12થી વધુ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બિહારના સિવાન જિલ્લાના ભગવાનપુર વિસ્તારમાં સ્થિત માધર ગામમાં ઝેરી દારૂ પીવાથી આ મોત થયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. જોકે, સત્તાવાર હાલ કોઈ ખાતરી કરવામાં આવી નથી. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. વધુ તપાસ હાથ ધરવા ડીએમ અને એસપીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.ઝેરી દારૂ પીવાથી બે લોકોએ પોતાના આંખની દ્રષ્ટિ ગુમાવી હોવાની અહેવાલો પણ મળ્યા છે.મશરકના બરાહીપુર ગામમાં આ ઝેરી દારૂ પીવાથી એકનું મોત અને બે લોકોની આંખો છીનવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories