/connect-gujarat/media/media_files/2025/02/09/3UEC5vTYw7KZAI2BuL4T.jpg)
ભારતના પૂર્વમાં આવેલા મણિપુરના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઇ હોવાનું જાણવા મળ્યું છે.રાજ્યના મુખ્યમંત્રી એન.બીરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પહેલાં જ બીરેન સિંહ ભાજપ સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા રાજભવન પહોંચ્યા હતા.
આ નિર્ણય પહેલા તેઓ દિલ્હી ગયા હતા અને અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજીનામું આપ્યા બાદ ગૃહમંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. મણિપુરમાં ભડકેલી હિંસાના 21 મહિના બાદ બીરેન સિંહે રાજીનામું આપી દેતા રાજ્યમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.