ટોલ પ્લાઝા પર લાગૂ ટેક્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નવા નિયમો લાગુ કર્યા છે.
જે અંતર્ગત જે લોકોના વાહનમાં ફાસ્ટેગ લગાવેલો નહીં હોય તેઓએ ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જેના માટે એનએચએઆઈ તરફથી દિશા-નિર્દેશ પણ જારી કરવામાં આવ્યા છે. લોકો પોતાની કાર તથા અન્ય વાહનો ના વિન્ડ સ્ક્રિન પર જાણીજોઈને ફાસ્ટેગ લગાવતા નથી. જેના પર કડક વલણ દાખવતા NHAIએ ફાસ્ટેગ માટે નવો નિયમ લાગુ કર્યો છે. હવે વિન્ડ સ્ક્રિન પર જાણીજોઈને ફાસ્ટેગ ન લગાવનાર પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવશે.
આ સંદર્ભે નોટિફિકેશન જારી કરી જણાવ્યું છે કે, વિન્ડ સ્ક્રિન પર ફાસ્ટેગ ન લગાવવા બદલ ટોલ પ્લાઝા પર બિલિંગમાં વિલંબ થાય છે. જેના કારણે કતારમાં ઉભેલા અન્ય વાહનોને પણ મુશ્કેલી થાય છે. જેને ધ્યાનમાં લેતાં ઓથોરિટીએ આ સંદર્ભે SOP જારી કરી છે. જેમાં ફાસ્ટેગ વિન્ડ સ્ક્રિન પર ન લગાવવા બદલ બમણો ટેક્સ વસૂલવા નો નિર્ણય લેવાયો છે.